June 13, 2026
Vartman Pravah
Other

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ 77મા સ્‍વતંત્રતા દિવસ નિમિત્તે ખાનવેલની બિરસા મુંડા પ્રાથમિક શાળામાં તિરંગોલહેરાવશે

  • સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત રાષ્‍ટ્રીય તહેવાર સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણીના સમારંભનું આયોજન થતાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં આનંદ ઉત્‍સાહ અને ઉત્‍સવનું વાતાવરણ
  • સ્‍વતંત્રતા દિવસ નિમિત્તે પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સાંભળવા પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં ઉત્‍સુકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 77મા સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે બિરસા મુંડા સરકારી પ્રાથમિક શાળામાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં કરવામાં આવશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઇતિહાસમાં પહેલી વખત રાષ્‍ટ્રીય તહેવાર સ્‍વતંત્રતા દિવસની ઉજવણી આદિવાસી બાહુલ વિસ્‍તાર ખાનવેલ ખાતે થઈ રહી છે.
ખાનવેલમાં પહેલી વખત પ્રદેશ સ્‍તરના સ્‍વતંત્રતા દિવસના સમારંભનું આયોજન થઈ રહ્યું હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ આનંદ, ઉત્‍સાહ અને ઉત્‍સવની લાગણી જોવા મળી રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સાંભળવા માટે પણ ગ્રામ્‍યજનોમાં ભારે ઉત્‍સુકતા છવાયેલી છે. આવતી કાલે સવારે પ્રશાસકશ્રીનું સભા સ્‍થળ બિરસા મુંડા સરકારી પ્રાથમિક શાળા ખાનવેલ ખાતે આગમન થયા બાદ ધ્‍વજારોહણ અને રાષ્‍ટ્રગાન પછી પ્રશાસકશ્રીપરેડનું નિરીક્ષણ કરશે. ત્‍યારબાદ પ્રશાસકશ્રીના અભિભાષણ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. લાભાર્થીઓને લાભનું વિતરણ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ગ્રામ્‍યજનો ઉપસ્‍થિત રહેવાની સંભાવના છે.

Related posts

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનનું કડક વલણઃ દલવાડા ગૌશાળામાં પશુઓના કમોતના સંદર્ભમાં બે સામે ફરિયાદ

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્‍પર્ધાની ફાઈનલમાં શ્રી માછી મહાજન શાળા વિજેતા બની

vartmanpravah

Picture

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment