February 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: 21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીને આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ-લંડન ખાતે તેમની ગ્રામીણ ભારતમાં 12 વર્ષની સર્જન તરીકેની સફરને રજૂ કરવા માટે આમંત્રણ મળ્‍યું હતું. લંડનમાં તા.17 થી 19 ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર કેન્‍સર કોન્ફરન્સમાં ભારતના સૌથી યુવા સર્જન એવા ડો.અક્ષય નાડકર્ણીને કેન્‍સર અંગે તેમનાં અનુભવો રજૂ કરવા માટે આ તક મળી હતી.
તેમણે બે વિષયો પર વાત કરી હતી. એક નાની જગ્‍યાએ કેન્‍સરનું સંચાલન કરવાનો તેમનો અનુભવ હતો. જેમાં તેણે પ્રારંભિક તપાસથી લઈને રેડિયેશન થેરાપી સુધી પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓને આવરી લેતા મુદ્દાઓને સારી રીતે રજૂ કર્યા હતા. તેમણે ભારત સરકારની આયુષ્‍માન ભારત યોજનાઓની પણ પ્રશંસા કરી અને તે કેવી રીતે ગ્રામીણ વિસ્‍તારમાં કેન્‍સરના ગરીબ દર્દીઓ આ યોજનાનો લાભ લે છે એની જાણકારી આપી હતી. તેમણે 20 મિનીટ સુધી બંને વિષયો પર વાત કરી હતી. હાલમાં તેઓ આ કોંગ્રેસ બાદ કેમ્‍બ્રિજમાંથી રોબોટિક સર્જરીની તાલીમ પણ લઈ રહ્યા છે.
તેમણે વાપીમાં 12 વર્ષ પૂરા કર્યા છે અને વાપીમાં રેડિયેશન, કીમોથેરાપીની અને રોબોટિક્‍સ સહિતની તમામકેન્‍સર કેર સુવિધાઓ શરૂ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે.
21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરએ તેના 3 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી અને કેન્‍સર જાગૃતિ અને સારવાર માટે ભારતને વિશ્વ સ્‍તરે રજૂ કરવા માટે ડૉ.અક્ષયને તક મળી એ 21તદ્દ સેન્‍ચ્‍યુરી અને નાડકર્ણી ગ્રુપ ઓફ હોસ્‍પિટલ્‍સ માટે ગર્વની ક્ષણ છે.

Related posts

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી ફર્સ્‍ટ ફેઈઝમાં આવેલ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્‍પેસ પર કબજો કરી પાર્કિંગ ઉભું કરી નાખ્‍યું

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment