July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: 21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીને આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ-લંડન ખાતે તેમની ગ્રામીણ ભારતમાં 12 વર્ષની સર્જન તરીકેની સફરને રજૂ કરવા માટે આમંત્રણ મળ્‍યું હતું. લંડનમાં તા.17 થી 19 ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર કેન્‍સર કોન્ફરન્સમાં ભારતના સૌથી યુવા સર્જન એવા ડો.અક્ષય નાડકર્ણીને કેન્‍સર અંગે તેમનાં અનુભવો રજૂ કરવા માટે આ તક મળી હતી.
તેમણે બે વિષયો પર વાત કરી હતી. એક નાની જગ્‍યાએ કેન્‍સરનું સંચાલન કરવાનો તેમનો અનુભવ હતો. જેમાં તેણે પ્રારંભિક તપાસથી લઈને રેડિયેશન થેરાપી સુધી પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓને આવરી લેતા મુદ્દાઓને સારી રીતે રજૂ કર્યા હતા. તેમણે ભારત સરકારની આયુષ્‍માન ભારત યોજનાઓની પણ પ્રશંસા કરી અને તે કેવી રીતે ગ્રામીણ વિસ્‍તારમાં કેન્‍સરના ગરીબ દર્દીઓ આ યોજનાનો લાભ લે છે એની જાણકારી આપી હતી. તેમણે 20 મિનીટ સુધી બંને વિષયો પર વાત કરી હતી. હાલમાં તેઓ આ કોંગ્રેસ બાદ કેમ્‍બ્રિજમાંથી રોબોટિક સર્જરીની તાલીમ પણ લઈ રહ્યા છે.
તેમણે વાપીમાં 12 વર્ષ પૂરા કર્યા છે અને વાપીમાં રેડિયેશન, કીમોથેરાપીની અને રોબોટિક્‍સ સહિતની તમામકેન્‍સર કેર સુવિધાઓ શરૂ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે.
21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરએ તેના 3 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી અને કેન્‍સર જાગૃતિ અને સારવાર માટે ભારતને વિશ્વ સ્‍તરે રજૂ કરવા માટે ડૉ.અક્ષયને તક મળી એ 21તદ્દ સેન્‍ચ્‍યુરી અને નાડકર્ણી ગ્રુપ ઓફ હોસ્‍પિટલ્‍સ માટે ગર્વની ક્ષણ છે.

Related posts

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

vartmanpravah

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment