Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: 21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીને આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ-લંડન ખાતે તેમની ગ્રામીણ ભારતમાં 12 વર્ષની સર્જન તરીકેની સફરને રજૂ કરવા માટે આમંત્રણ મળ્‍યું હતું. લંડનમાં તા.17 થી 19 ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર કેન્‍સર કોન્ફરન્સમાં ભારતના સૌથી યુવા સર્જન એવા ડો.અક્ષય નાડકર્ણીને કેન્‍સર અંગે તેમનાં અનુભવો રજૂ કરવા માટે આ તક મળી હતી.
તેમણે બે વિષયો પર વાત કરી હતી. એક નાની જગ્‍યાએ કેન્‍સરનું સંચાલન કરવાનો તેમનો અનુભવ હતો. જેમાં તેણે પ્રારંભિક તપાસથી લઈને રેડિયેશન થેરાપી સુધી પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓને આવરી લેતા મુદ્દાઓને સારી રીતે રજૂ કર્યા હતા. તેમણે ભારત સરકારની આયુષ્‍માન ભારત યોજનાઓની પણ પ્રશંસા કરી અને તે કેવી રીતે ગ્રામીણ વિસ્‍તારમાં કેન્‍સરના ગરીબ દર્દીઓ આ યોજનાનો લાભ લે છે એની જાણકારી આપી હતી. તેમણે 20 મિનીટ સુધી બંને વિષયો પર વાત કરી હતી. હાલમાં તેઓ આ કોંગ્રેસ બાદ કેમ્‍બ્રિજમાંથી રોબોટિક સર્જરીની તાલીમ પણ લઈ રહ્યા છે.
તેમણે વાપીમાં 12 વર્ષ પૂરા કર્યા છે અને વાપીમાં રેડિયેશન, કીમોથેરાપીની અને રોબોટિક્‍સ સહિતની તમામકેન્‍સર કેર સુવિધાઓ શરૂ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે.
21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરએ તેના 3 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી અને કેન્‍સર જાગૃતિ અને સારવાર માટે ભારતને વિશ્વ સ્‍તરે રજૂ કરવા માટે ડૉ.અક્ષયને તક મળી એ 21તદ્દ સેન્‍ચ્‍યુરી અને નાડકર્ણી ગ્રુપ ઓફ હોસ્‍પિટલ્‍સ માટે ગર્વની ક્ષણ છે.

Related posts

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

Leave a Comment