Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

મોટી સંખ્‍યામાં શિવભક્‍તો કાવડયાત્રીઓ જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, આ કાવડ યાત્રામાં મોટી સંખ્‍યામાં શિવભક્‍તો કાવડયાત્રીઓ જોડાયા હતા. આ કાવડ યાત્રાને પ્રથમ આમલીરામજી મંદિરથી શ્રી અજયભાઈ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા-અર્ચના કરી શ્રીફળ વધેરી યાત્રાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને અન્‍ય અતિથિઓએ કાવડ લઈ કાવડ યાત્રીઓ સાથે ચાલ્‍યા હતા જેનાથી કાવડયાત્રીઓમાં અનેરા ઉત્‍સાહનો સંચાર થયો હતો. તેઓએ બોલ બમના નારા સાથે કાવડ યાત્રા આગળના સ્‍થળ માટે રવાના થઈ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્‍દ્રાબિન મંદિરે જશે જ્‍યાંથી કાંવડમાં ગંગાજળ ભરી પરત શિવભક્‍ત કાવડયાત્રીઓ લવાછા ખાતેના રામેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરશે.

Related posts

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment