ચિકલીગર ગેંગનો આતંક : પરિવારે ન્યાયની માંગણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વલસાડ મોગરાવાડી અમ્બુનગરમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
વલસાડ મોગરાવાડી અમ્બુનગરમાં મધરાતે વિનોદ ભગવાન પવાર નામનો યુવાન બારી પાસે સુતો હતો ત્યારે અચાનક તેની ઉપર એસિડ એટેક કરવામાં આવતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. પરિવારે પૂત્ર પર થયેલ એસિડ એટેક માટે ન્યાયની માંગણી કરી છે. આતંકી ઘટનામાં ચિકલીગર ગેંગ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે આ ગેંગ રાતે ડુક્કર પકડવા નિકળે છે. નિશાચર બની રાતે શહેરમાં ભટકતી હોય છે.