April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણ, શિસ્‍ત, સદાચાર અને સમર્પણથી દાનહ અને દમણ-દીવના લોકોના વિચારમાં પણ મોટું પરિવર્તન લાવી પ્રદેશની કાયાપલટ કરી છે ત્‍યારે દાનહ રોટરી ક્‍લબ પ્રશાસકશ્રીનું ઋણ અદા કરવાના હેતુથી મહિલાઓ માટે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું નાનકડું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સોમવાર તારીખ 28મી ઓગસ્‍ટના રોજ રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસના ઉપલક્ષમાં 3પ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન જલારામ કોમ્‍પ્‍લેક્ષ, નરોલી, દાનહ ખાતે કરવામાં આવ્‍યું છે.
રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલીના પ્રમુખ રોટેરિયન શ્રી મિલન પટેલ, સેક્રેટરી શ્રી મેઘાવીન પરમાર, કોષાધ્‍યક્ષ શ્રી વિરલસિંહ રાજપૂત અને સલાહકાર શ્રી યશવંતસિંહ પરમારના જણાવ્‍યા પ્રમાણે સંઘપ્રદેશની સંપૂર્ણ કાયાપલટ કરનારાપ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસ નિમિત્તે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન કરી મહિલાઓમાં પોતાના આરોગ્‍યની બાબતમાં જાગૃતિ લાવવાનો હેતુ રહેલો છે.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષણ, શિસ્‍ત, સદાચાર અને સમર્પણથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોના વિચારમાં પણ પરિવર્તન લાવવાનું સૌથી મોટું કામ કર્યું છે ત્‍યારે પ્રશાસકશ્રીના જન્‍મદિવસ નિમિત્તે તેમના નિરોગી જીવન અને યશસ્‍વી ભવિષ્‍યની કામનાની સાથે રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા 3પ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મહિલાઓ માટે ખાસ પેપ્‍સ સ્‍મીયર (ગર્ભાશયની થેલી) અને મેમોગ્રાફી (સ્‍તન કેન્‍સરની તપાસ) ટેસ્‍ટ વિવિધ સંશાધનોથી સુસજ્જ કેન્‍સર નિદાન વેનમાં મહિલા વિશેષજ્ઞ ડોક્‍ટર દ્વારા કરવામાં આવશે.

Related posts

દમણના અમિત સિંહે બેલ્લારી-કર્ણાટક ખાતે આયોજીત પાંચમી એલીટ સિનિયર બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપના 67-71 કિ.ગ્રા.ના ભાર વર્ગમાં મેળવેલો રજત પદક

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

Leave a Comment