Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ઓલ ઈન્‍ડિયા નેશનલ સ્‍ટુડન્‍ટ ઓફ ઇન્‍ડિયા (એન.એસ.યુ.આઈ.) એ કોંગ્રેસને એક વિદ્યાર્થી પાંખ છે જેના દ્વારા ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી કે દશરથ કડુની તાજેતરમાં વરણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્‍યમાં 2017ની ચૂંટણી પ્રક્રિયામાં દશરથ કડુ કપરાડા એન એસ યુ.આઈ તરીકે ચંૂટાયા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીનાનિકાકરણની પ્રાથમિક ફરજ સમજી અનેક વિદ્યાર્થીઓના અવાજ બની તેમના પ્રશ્નને વાચા આપી જેની નોંધ પ્રદેશ એન એસ.યુ.આઈ. દ્વારા લેવાતા 2019 માં વલસાડ જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. જેના દ્વારા ગત તારીખ 14 સપ્‍ટેમ્‍બરના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી અને રાષ્‍ટ્રીય સંયોજક ભાવિક સોલંકી દ્વારા એનુએસ.યુ.આઈ.ના પ્રદેશ મંત્રી દશરથ કડુની નિમણૂકરામાં આવી છે. ગુજરાતના એન એસ.યુ.આઈ.નું સંગઠન વધુ મજબૂત કરવા બાબતે તમામ શહેરો અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ તેમજ યુવાઓ કોંગ્રેસની વિચારધારાઓ સાથે જોડાય તે બાબતે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. દશરથ કડુની ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. મંત્રી તરીકે નિમણૂક થતાં જ યુવાઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હવે વલસાડ જિલ્લાના એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ પદ ખાલી પડ્‍યું છે. જેમાં ત્રણ નામો ચર્ચામાં ખૂબ જ ચાલી રહ્યા છે. જેમાં દિવ્‍યેશ શિંગાડે અબ્‍દુલ્લા ખાન દિનેશ નિબારાની નામોની ચર્ચા ચાલી રહી છે. ત્રણમાંથી એક ને વલસાડ જિલ્લાની એનએસયુઆઈની જવાબદારી સોંપવામાં આવી શકે.

Related posts

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

દાનહના નરોલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્‍યો

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

Leave a Comment