(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામતની જાહેરાત કરતા ચીખલી હાઈવે ચાર રસ્તા પાસે ભાજપનાં પ્રદેશ કારોબારી સભ્ય ડૉ.અમિતાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ.અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મયંકભાઈ પટેલ, તેમજ કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી હતી.