April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સીલીમાં સ્‍થિત કેમિકલ બનાવતી એસ્‍ટ્રીક્‍સ કંપનીને જિલ્લા કલેક્‍ટરે સીલ કરી: કંપની કયા કારણોસર સીલ કરવામાં આવી તેનો ફોડ પ્રશાસન પાડતું નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામ ખાતે આવેલી એસ્‍ટ્રીક્‍સ કેમિકલ કંપની છેલ્લા કેટલાક સમયથી પાવર કટ હોવા છતાં પણ ડીઝલ જનરેટર દ્વારા ચલાવવામાં આવી રહી હતી. જેમાં રોજીંદા કેમિકલ ભરેલા ટેન્‍કરોની અવર-જવર રહેતી હતી. આ કંપની દાનહ જિલ્લા કલેક્‍ટરશ્રીના આદેશ બાદ પોલ્‍યુશન વિભાગ અને મામલતદારની ટીમ પહોંચી કંપનીને સીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સીલી ગામ ખાતે આવેલી એસ્‍ટ્રીક્‍સ નામની કંપની છેલ્લા કેટલાક સમયથી દિલ્‍હી સ્‍થિત તેમના કાર્યાલય દ્વારા ચલાવવામાં આવી રહી હતી. કેટલાક મહિના પહેલાં આ કંપનીનો સંઘપ્રદેશ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન પાવર કટ કરી દેવામાંઆવ્‍યો હતો. ત્‍યારપછી પણ ડીઝલ જનરેટરના માધ્‍યમથી સચિન નામના વ્‍યક્‍તિની દેખરેખમાં આ કંપની ચાલુ રાખવામાં આવી હતી. જેમાં કેટલાક ટેન્‍કરોની અવર-જવર પણ ચાલુ જ હતી. આ કંપનીમાં સચિનની દેખરેખમાં કેટલાક કર્મચારીઓ પણ કામ કરી રહ્યા હતા અને ટ્રાન્‍સપોર્ટના વાહનોની અવર જવર પણ ચાલુ હતી. આ ટેન્‍કરોમાં કેમિકલ આવતુ હતું જેને નાના ડ્રમ(પીપડા)માં ભરીને અન્‍ય સ્‍થળોએ ટ્રાન્‍સફર કરવામાં આવતું હતું.
દાનહ જિલ્લા કલેક્‍ટરશ્રીના આદેશથી આ કંપનીમાં સંઘપ્રદેશના પોલ્‍યુશન કંટ્રોલ વિભાગ અને મામલતદારની ટીમે રેડ પાડી હતી, બાદમાં એ કંપનીને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાં આવતુ કેમિકલ ખુબ જ ખતરનાક અને હેઝાર્ડમાં આવે છે. આ કંપનીનો એસ્‍ટેરીક્ષ રેઇનફોર્સ લિમિટેડ નામનો એક પ્‍લાન્‍ટ મહારાષ્‍ટ્રમાં પણ હતો જેને મહારાષ્‍ટ્ર સરકારે પણ કેટલાક મહિના પહેલા સીલ કરી દીધો હતો.
હવે દાનહના સીલી ખાતેની આ એસ્‍ટ્રીક્‍સ નામની કંપનીને કલેક્‍ટરશ્રીના આદેશથી સીલ મારી દીધી છે, પરંતુ તે કયા કારણોસર સીલ મારવામાં આવી તે ફોડ પ્રશાસન દ્વારા પાડવામાં આવ્‍યો નથી.

Related posts

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment