Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

ગામલોકોમાં ફાટેલો વિરોધનો વંટોળઃ એજન્‍સી દ્વારા તળાવને ઊંડું કરાતું હોવાની ચર્ચા વચ્‍ચે તળાવની માટીનું બેધડક વેચાણ થઈ રહ્યું હોવાની પણ ગામલોકોની બૂમરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરવાનીથયેલી ચેષ્‍ટાથી ગામલોકોમાં ભારે વિરોધનો વંટોળ ફેલાયો છે અને તળાવની પાળની બાજુમાં રહેતા વારલીવાડના રહેવાસીઓ માટે તળાવ અકસ્‍માતનું કેન્‍દ્ર બને એવી ભીતિ પણ પ્રગટ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વારલીવાડ તળાવના કિનારે ગામલોકોના ઘર આવેલા છે. તે કિનારાથી 30 ફૂટ જેટલું ઊંડું ખોદવાથી ગામલોકોને મોતનું તળાવ બનવાનો ડર સતાવી રહ્યો છે. આ તળાવ ઊંડું કરવાની કામગીરી એજન્‍સી દ્વારા કરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ગામલોકોના જણાવ્‍યા પ્રમાણે તળાવમાંથી નિકળતી માટીનું વેચાણ પણ ખાનગી ધોરણે થઈ રહ્યું છે. તેથી આ સમગ્ર કાર્યવાહી ઉપર સંઘપ્રદેશ પ્રશાસન સ્‍વયં તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે એવી માંગ પણ પ્રબળ બની છે.

Related posts

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલ

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશ મુલાકાતના સંદર્ભમાં પ્રદેશ ભાજપ ઉદ્યોગ પ્રકોષ્ઠ દ્વારા ઉદ્યમીઓ સાથે કરાયેલું સંવાદ બેઠકનું આયોજન

vartmanpravah

Leave a Comment