December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

ગામલોકોમાં ફાટેલો વિરોધનો વંટોળઃ એજન્‍સી દ્વારા તળાવને ઊંડું કરાતું હોવાની ચર્ચા વચ્‍ચે તળાવની માટીનું બેધડક વેચાણ થઈ રહ્યું હોવાની પણ ગામલોકોની બૂમરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરવાનીથયેલી ચેષ્‍ટાથી ગામલોકોમાં ભારે વિરોધનો વંટોળ ફેલાયો છે અને તળાવની પાળની બાજુમાં રહેતા વારલીવાડના રહેવાસીઓ માટે તળાવ અકસ્‍માતનું કેન્‍દ્ર બને એવી ભીતિ પણ પ્રગટ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વારલીવાડ તળાવના કિનારે ગામલોકોના ઘર આવેલા છે. તે કિનારાથી 30 ફૂટ જેટલું ઊંડું ખોદવાથી ગામલોકોને મોતનું તળાવ બનવાનો ડર સતાવી રહ્યો છે. આ તળાવ ઊંડું કરવાની કામગીરી એજન્‍સી દ્વારા કરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ગામલોકોના જણાવ્‍યા પ્રમાણે તળાવમાંથી નિકળતી માટીનું વેચાણ પણ ખાનગી ધોરણે થઈ રહ્યું છે. તેથી આ સમગ્ર કાર્યવાહી ઉપર સંઘપ્રદેશ પ્રશાસન સ્‍વયં તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે એવી માંગ પણ પ્રબળ બની છે.

Related posts

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રક, ટેમ્‍પો અને બે કાર મળી ચાર વાહનો વચ્‍ચે સર્જાયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

Leave a Comment