Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: કપરાડાનો કુંભઘાટ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. છાશવારે અહીં વિચિત્ર અને દુઃખદ અકસ્‍માત સર્જાતા રહે છે. ગતરોજ કુંભઘાટ ચઢી નહી શકતા મહાદેવ મંદિર સામે કપાસીયાની બી ભરેલ ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં ચાલકનો ચમત્‍કારીક બચાવ થવા પામ્‍યો હતો.
કપરાડાના કુંભઘાટ મહાદેવ મંદિર પાસે તામિલનાડુથી પંજાબ જવા કપાસીયાના બીજ ભરેલી ટ્રક નં.ટીએન 29 સીબી 4921 ઘાટ ચઢી નહી શકતા પલટી મારી ગઈ હતી. કપાસીયા બી ભરેલી બોરીઓ રોડ ઉપર ફેલાઈ ગઈ હતી. જેને લઈ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. મજુરો દ્વારા બોરી ખસેડીને પોલીસે ટ્રાફિક કન્‍ટ્રોલ કરી લીધો હતો. કપરાડા કુંભઘાટ ઉપરનિરંતર ટ્રકો પલટી મારતી રહે છે પરંતુ તંત્ર દ્વારા જરૂરી પગલા ભરાતા નથી.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

Leave a Comment