Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્‍દ્રિય મોટર વાહન (પાંચમું સંશોધન અધિનિયમ) 2022ની બાબતમાં પોલીસકર્મીઓને કાર્યશાળામાં આપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશ પ્રશાસનના દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા આજે સડક દુર્ઘટનાઓની તપાસના વિષયમાં પોલીસ કર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશના પરિવહન વિભાગના સચિવ શ્રી નિખિલ દેસાઈના માર્ગદર્શનમાં અને પોલીસ અધિક્ષક (હેડ ક્‍વાર્ટર) શ્રી મણીભૂષણ સિંઘના સહયોગથી પોલીસ હેડ ક્‍વાર્ટરના પ્રશિક્ષણ કક્ષમાં આયોજીત આ પ્રશિક્ષણ કાર્યશાળામાં પુણે(મહારાષ્‍ટ્ર)થી લીગલ એક્‍સપર્ટ શ્રી મિલિંદ દેશપાંડે, પી.આઈ. શ્રી લોઈડ એન્‍થની તથા પરિવહન વિભાગ દમણના મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે પોલીસકર્મીઓને દુર્ઘટનાની તપાસ તથા તેના સંબંધિત અધિનિયમોની બાબતમાં વિસ્‍તારથી સમજ આપી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્‍દ્રિય મોટર વાહન (પાંચમું સંશોધન)અધિનિયમ 2022 જારી કરાયું હોવાની જાણકારી આપી હતી. આ અધિનિયમમાં મોટર વાહન અકસ્‍માતની સ્‍થિતિમાં પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કેવી રીતે કરવી જોઈએ તેની બાબતમાં વિસ્‍તારથી બતાવવામાં આવ્‍યું છે. અધિનિયમની વિશેષ જાણકારી માટે પ્રશિક્ષણાર્થીઓને અધિનિયમની ઝેરોક્ષ નકલ પણ વિતરિત કરાઈ હતી.
પુણે મહારાષ્‍ટ્રથી ઉપસ્‍થિત રહેલા લીગલ એક્‍સપર્ટ શ્રી મિલિંદ દેશપાંડેએ જણાવ્‍યું હતું કે, માર્ગ અકસ્‍માતની તપાસના સમયે પોલીસકર્મીએ અકસ્‍માતનું સ્‍થળ, અકસ્‍માતમાં સામેલ વાહન, અકસ્‍માતથી પ્રભાવિત વ્‍યક્‍તિ વગેરેની બારિકાઈથી તપાસ કરવી જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, તપાસનો ઉદ્દેશ પ્રભાવિતોને વહેલામાં વહેલી તકે કાયદા મુજબનો ન્‍યાય પ્રદાન કરવાનો છે. આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતા પી.આઈ. શ્રી લોઈડ એન્‍થનીએ જણાવ્‍યું હતું કે, માર્ગ અકસ્‍માતની તપાસ કરતા સમયે આપણે ખુબ જ સાવધાનીની સાથે કામ લેવું જોઈએ. તપાસ કરતાં સમયે પીડિત વ્‍યક્‍તિ, દુર્ઘટનાની સ્‍થિતિ, વાહનની સ્‍થિતિ, વાહનનો વીમો તથા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની સ્‍થિતિની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, પોલીસ જનતાની ભલાઈ માટે છે. તેથી દરેક સમયે ખાસ કરીને દુર્ઘટનાની સ્‍થિતિમાં આપણે તેમના પ્રત્‍યે અત્‍યંત ધૈર્ય, સદ્‌ભાવનાઅને સંવેદનશીલતાનો પરિચય આપવો જોઈએ.

Related posts

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્‍યની આગેવાનીમાં કરેલા ધરણાં-પ્રદર્શનઃ પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની કરાયેલી માંગ

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

Leave a Comment