June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

ડો. રાકેશ કુમાર ભૂજાડેએ શિક્ષણ શોધ અને વિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોની શૈક્ષણિક ઉપલબ્‍ધિઓનું આકલન કરી ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષમાં સર્વશ્રેષ્‍ઠ શિક્ષક માટે પાંચમા ટેક-ગુરૂ પુરસ્‍કારનું આયોજન કર્યું હતું. જેમાં દમણની ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધ્‍યક્ષ ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને તેમના શિક્ષણ શોધ અનેવિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરાયેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા હતા. આ એવોર્ડ ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર અને ગુજરાત નેશનલ લૉ. યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડૉ. સંજીવની શાંથા કુમાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના પ્રિન્‍સિપાલ શ્રી ટી. બાલાગણેશને આ ઉપલબ્‍ધિ પર ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને અભિનંદન આપી તેમના દ્વારા શોધ અને અનુસંધાનના ક્ષેત્રમાં કરાતા અનેક નવા પ્રયોગોની સરાહના કરી હતી.
અત્રે યાદ રહે કે, ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીની 400થી વધુ એફિલીએટેડ કોલેજો અને 13 હજારથી વધુ શિક્ષકો યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
ટેક-ગુરૂ પુરસ્‍કાર-2023થી સન્‍માનિત થયેલા ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ, શિક્ષણ નિર્દેશક શ્રી શિવમ તેવતિયા, સરકારી પોલિટેકનિક પ્રિન્‍સિપાલ શ્રી બાલગણેશન અને ગવર્નમેન્‍ટ પોલિટેકનિક દમણના દરેક વિભાગોના અધ્‍યક્ષો તથા શિક્ષકગણોએ શુભકામના પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની પણ કામના કરી હતી.

Related posts

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામે રૂા. 1.02 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મકાનનું લોકાર્પણ કરતા ધારાસભ્‍ય નરેશ પટેલ

vartmanpravah

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

vartmanpravah

Leave a Comment