October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

ડો. રાકેશ કુમાર ભૂજાડેએ શિક્ષણ શોધ અને વિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોની શૈક્ષણિક ઉપલબ્‍ધિઓનું આકલન કરી ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષમાં સર્વશ્રેષ્‍ઠ શિક્ષક માટે પાંચમા ટેક-ગુરૂ પુરસ્‍કારનું આયોજન કર્યું હતું. જેમાં દમણની ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધ્‍યક્ષ ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને તેમના શિક્ષણ શોધ અનેવિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરાયેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા હતા. આ એવોર્ડ ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર અને ગુજરાત નેશનલ લૉ. યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડૉ. સંજીવની શાંથા કુમાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના પ્રિન્‍સિપાલ શ્રી ટી. બાલાગણેશને આ ઉપલબ્‍ધિ પર ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને અભિનંદન આપી તેમના દ્વારા શોધ અને અનુસંધાનના ક્ષેત્રમાં કરાતા અનેક નવા પ્રયોગોની સરાહના કરી હતી.
અત્રે યાદ રહે કે, ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીની 400થી વધુ એફિલીએટેડ કોલેજો અને 13 હજારથી વધુ શિક્ષકો યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
ટેક-ગુરૂ પુરસ્‍કાર-2023થી સન્‍માનિત થયેલા ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ, શિક્ષણ નિર્દેશક શ્રી શિવમ તેવતિયા, સરકારી પોલિટેકનિક પ્રિન્‍સિપાલ શ્રી બાલગણેશન અને ગવર્નમેન્‍ટ પોલિટેકનિક દમણના દરેક વિભાગોના અધ્‍યક્ષો તથા શિક્ષકગણોએ શુભકામના પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની પણ કામના કરી હતી.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

vartmanpravah

Leave a Comment