March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

ડો. રાકેશ કુમાર ભૂજાડેએ શિક્ષણ શોધ અને વિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોની શૈક્ષણિક ઉપલબ્‍ધિઓનું આકલન કરી ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષમાં સર્વશ્રેષ્‍ઠ શિક્ષક માટે પાંચમા ટેક-ગુરૂ પુરસ્‍કારનું આયોજન કર્યું હતું. જેમાં દમણની ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધ્‍યક્ષ ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને તેમના શિક્ષણ શોધ અનેવિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરાયેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા હતા. આ એવોર્ડ ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર અને ગુજરાત નેશનલ લૉ. યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડૉ. સંજીવની શાંથા કુમાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના પ્રિન્‍સિપાલ શ્રી ટી. બાલાગણેશને આ ઉપલબ્‍ધિ પર ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને અભિનંદન આપી તેમના દ્વારા શોધ અને અનુસંધાનના ક્ષેત્રમાં કરાતા અનેક નવા પ્રયોગોની સરાહના કરી હતી.
અત્રે યાદ રહે કે, ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીની 400થી વધુ એફિલીએટેડ કોલેજો અને 13 હજારથી વધુ શિક્ષકો યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
ટેક-ગુરૂ પુરસ્‍કાર-2023થી સન્‍માનિત થયેલા ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ, શિક્ષણ નિર્દેશક શ્રી શિવમ તેવતિયા, સરકારી પોલિટેકનિક પ્રિન્‍સિપાલ શ્રી બાલગણેશન અને ગવર્નમેન્‍ટ પોલિટેકનિક દમણના દરેક વિભાગોના અધ્‍યક્ષો તથા શિક્ષકગણોએ શુભકામના પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની પણ કામના કરી હતી.

Related posts

વાપી નજીક લવાછાના પ્રસિધ્‍ધ રામેશ્વર મહાદેવ મંદિરે 11 હજાર દીપ પ્રજ્‍વલિત કરી દેવ દિવાળીની કરેલી ઉજવણી

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી પ્રધાનમંત્રીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કરેલી કામના

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

Leave a Comment