April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દીવ જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધપ્રોજેક્‍ટોના નિરીક્ષણનો ઝંઝાવાતી આરંભ કર્યો હતો.
પ્રારંભમાં અધિકારીઓ સાથે મીટિંગ લઈ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોની જાણકારી મેળવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ સરકિટ હાઉસ પાસે આવેલ સ્‍વીમિંગ પુલ તથા સમર હાઉસ પાસે આવેલ પ્રોજેક્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એનેક્ષી સરકિટ હાઉસ, જૂની હોસ્‍પિટલ તથા ચર્ચ પાસેના રોડના કામનું તથા ચર્ચની બાજુમાં આવેલ ચિલ્‍ડ્રન પાર્કનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જૂની પાનબાઈ સ્‍કૂલમાં ચાલી રહેલ પ્રોજેક્‍ટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રોજેક્‍ટોના નિરીક્ષણ દરમિયાન કેટલાક અધિકારીઓને સ્‍થળ ઉપર જ ફટકાર પણ લગાવી પ્રોજેક્‍ટમાં રહી ગયેલી ક્ષતિને સુધારવા માટેનું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કામની ગુણવત્તા અને એલીવેશનની બાબતમાં કોઈ બાંધછોડ કરતા નથી. જો તેમના માપદંડ પ્રમાણે કાર્ય નહીં થયું હોય તો તેને સુધારવા કે તોડવા સુધીના પણ નિર્દેશ જારી કરી સંબંધિત કોન્‍ટ્રાક્‍ટર અને એન્‍જિનિયરોને પરસેવો પણ પડાવી દેતા હોય છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

Leave a Comment