April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દીવ જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધપ્રોજેક્‍ટોના નિરીક્ષણનો ઝંઝાવાતી આરંભ કર્યો હતો.
પ્રારંભમાં અધિકારીઓ સાથે મીટિંગ લઈ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોની જાણકારી મેળવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ સરકિટ હાઉસ પાસે આવેલ સ્‍વીમિંગ પુલ તથા સમર હાઉસ પાસે આવેલ પ્રોજેક્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એનેક્ષી સરકિટ હાઉસ, જૂની હોસ્‍પિટલ તથા ચર્ચ પાસેના રોડના કામનું તથા ચર્ચની બાજુમાં આવેલ ચિલ્‍ડ્રન પાર્કનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જૂની પાનબાઈ સ્‍કૂલમાં ચાલી રહેલ પ્રોજેક્‍ટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રોજેક્‍ટોના નિરીક્ષણ દરમિયાન કેટલાક અધિકારીઓને સ્‍થળ ઉપર જ ફટકાર પણ લગાવી પ્રોજેક્‍ટમાં રહી ગયેલી ક્ષતિને સુધારવા માટેનું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કામની ગુણવત્તા અને એલીવેશનની બાબતમાં કોઈ બાંધછોડ કરતા નથી. જો તેમના માપદંડ પ્રમાણે કાર્ય નહીં થયું હોય તો તેને સુધારવા કે તોડવા સુધીના પણ નિર્દેશ જારી કરી સંબંધિત કોન્‍ટ્રાક્‍ટર અને એન્‍જિનિયરોને પરસેવો પણ પડાવી દેતા હોય છે.

Related posts

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

વલસાડના યુવકે હિમાચલ પ્રદેશના લાહુલ વેલીમાં 6126 મીટર ઉંચો માઉન્ટ યુનામ સર કરી તિરંગો લહેરાવ્યો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

vartmanpravah

Leave a Comment