October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ પ્રોજેક્‍ટોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે આજે નાયડા ગુફાઓ, પદ્મભૂષણ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, દીવ બસ સ્‍ટેન્‍ડ, ગાંધીપરા સિવરેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ખુખરી મ્‍યુઝિયમ, ઘોઘલા સ્‍થિત પાંજરાપુર સ્‍કૂલ, સ્‍વર્ણ જયંતિ તળાવ પાસે બની રહેલ ટેન્‍ટ સીટી, એજ્‍યુકેશન હબ, ગંગેશ્વર કોમ્‍પલેક્ષ, ચક્રતીર્થ ટેન્‍ટ સીટી વગેરે જગ્‍યાઓની મુલાકાત લઈ ત્‍યાં ચાલી રહેલા વિકાસકામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્‍માર્ટ સીટી દીવને દરેક સ્‍તરે ઉમદા બનાવવા માટે અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપવાની સાથે કેટલીક જગ્‍યાએ કામ કરવાની યોગ્‍ય સમજ પણ આપી હતી.
અત્રે યાદરહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ જિલ્લા, ગામ, પાડા અને ફળિયાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આગ્રહી રહ્યા છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની પણ દરકાર રાખવામાં કોઈ કસર છોડી નથી. જેના કારણે જ દેશની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપની નોંધ લેવાતી થઈ છે.

Related posts

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

..અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગાડીમાંથી ઉતરી નરોલી ચાર રસ્‍તાથી કનાડી ફાટકના રસ્‍તાનું એલાઈન્‍મેન્‍ટ સીધું કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment