(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.14: આજ રોજ તા.14, સપ્ટેમ્બર, 2023 ને ગુરુવાર ના સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા દીવમાં પ્રભારી પ્રાચાર્ય શ્રી ઝાકિર લાખાવાલાં સાહેબ તથા વરિષ્ઠ ગ્રેડ-1 શિક્ષક શ્રી મનોજ બારિયાના માર્ગદર્શન તેમજ હિન્દી શિક્ષિકા આરાધના બહેનસ્માર્ટના નેતૃત્વ હેઠળ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ‘‘હિન્દી દિવસ” ઉજવવામાં આવ્યો હતો.
કાર્યક્રમના શરૂઆતમાં શાળાના હિન્દી શિક્ષિકા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આરાધના બહેન સ્માર્ટએ 14 સપ્ટેમ્બરના દિવસે જ હિન્દી દિવસ શા માટે ઉજવાય છે? તથા હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે શા માટે પસંદ કરવામાં આવી? તે વિષય પર વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપી હતી.
અંતમાં શાળાના પ્રાચાર્ય, શિક્ષકો, તથા વિદ્યાર્થીઓએ રાજભાષા પ્રતિજ્ઞા લીધી હતી. આમ, શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.