March 3, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

દાનહ અને દમણ-દીવ ફૂટબોલએસોસિએશનના અધ્‍યક્ષ અમિત ખેમાણીએ આપેલી જાણકારીઃ 16મી સપ્‍ટે.એ 22 ખેલાડીઓ સાથે અંડર-17 ટુર્નામેન્‍ટ રમવા પ્રદેશની ગર્લ્‍સ ફૂટબોલ ટીમ ભૂવનેશ્વર પ્રસ્‍થાન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના પ્રયાસથી પહેલી વખત પ્રદેશની ગર્લ્‍સ અને બોયઝની ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા જઈ રહી હોવાની જાણકારી એસોસિએશનના પ્રેસિડેન્‍ટ શ્રી અમિત ખેમાણીએ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનની શ્રી અમિત ખેમાણીના અધ્‍યક્ષપદે રચના થઈ હતી. જે અંતર્ગત બોયઝ અને ગર્લ્‍સની ટીમ અંડર-14 બોયઝ, અંડર-17 બોયઝ અને અંડર-17 ગર્લ્‍સની ટીમ ત્રણેય નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયનશીપ – 2023-‘24માં ભાગ લેવા માટે જઈ રહી છે. જે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ગૌરવની ઘટના છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી અમિત ખેમાણીએ જણાવ્‍યું હતું કે, 22 ખેલાડીઓ સાથેની જુનિયર ગર્લ્‍સ ફૂટબોલ અંડર-17ની ટીમ 16મી સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ ભૂવનેશ્વર-ઓરિસ્‍સા જવા રવાના થશે. જ્‍યારેસબ જુનિયર બોયઝ નેશનલ ફૂટબોલ અંડર-14ની ટીમ 26મી સપ્‍ટેમ્‍બરે 22 ખેલાડીઓ સાથે આંધ્ર પ્રદેશના અનંતપુરમ્‌ જવા પ્રસ્‍થાન કરશે. અંડર-17 બોયઝની ટીમ ડો. બી. સી. રોય ટ્રોફી રમવા માટે 22 ખેલાડીઓ સાથે 22મી સપ્‍ટેમ્‍બરે જબલપુર જવા રવાના થશે.
આ તમામ ખેલાડીઓને લગભગ એક મહિનાની સખત તાલીમ ફૂટબોલ એસોસિએશન દ્વારા શ્રી અમિત ખેમાણીના સહયોગથી આપવામાં આવેલ છે. આજે ત્રણેય ટીમોના ખેલાડીઓને ડીએનએચડીડીએફએના પ્રમુખ શ્રી અમિત ખેમાણીએ પ્રદેશની ફૂટબોલ ટીમના હિસ્‍સો બનવા બદલ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામના પણ પાઠવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપીમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 1.91 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામનું ખાતમૂર્હુત કરાયું

vartmanpravah

Leave a Comment