રાત્રે 11 વાગે ડી.જે. વગાડાઈ રહ્યું હતું તેથી પોલીસે ડી.જે. જપ્ત કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વલસાડ સહિત જિલ્લામાં ગણેશ મહોત્સવની અંતિમ તૈયારીઓ પુરજોસમાં ચાલી રહી છે. ગણેશમંડળો દ્વારા બાપ્પાની નાની મોટી મૂર્તિઓ ડી.જે.ને તાલે ઉત્સાહભેર ગણેશ ભક્તો પધરામણી કરી રહ્યા છે. આજ અરસામાં તિથલ રોડ ઉપર જુની આર.ટી.ઓ. કચેરી પાસે રાતે 11 વાગ્યા સુધી ડી.જે. ચાલુ રાખતા સિટી પોલીસે ડી.જે. જપ્ત કરીને ડી.જે. સંચાલક અને ગણેશ આયોજક વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી અન્ય ડી.જે. સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસે સતત શાંતિ સમિતિ અને ડી.જે. સંચાલક, ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજી છે. મિટિંગમાં પોલીસ જાહેરનામા અંતર્ગત રાતે 10 વાગ્યા સુધી ડી.જે. વગાડાશે તેવી સ્પષ્ટ સુચના સાથે જાહેર અપીલ કરાઈ હતી. પરંતુ રવિવારે રાતે ડી.ડી.ઓ. બંગલા પાસે તિથલ રોડ ઉપર રાત્રે 11 વાગ્યા સુધી ડી.જે. ચાલુ રાખવામાં આવતા કન્ટ્રોલ રૂમમાં ફોન આવેલ તેથી પી.આઈ. જયદીપ સોલંકી ઘટના સ્થળેપ હોંચ્યા હતા. ડી.જે. જપ્ત કરીને જાહેરનામાના ભંગ બદલ ગણેશ મંડળ આયોજક સ્ટેમ્પ પુરુષોત્તમ ઠાકોર અને ડી.જે. સંચાલક મનીષ નાનુભાઈ પ્રજાપતિ રહે.અતુલ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.