March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રીશ્રીની લક્ષદ્વીપ મુલાકાતના બીજા દિવસે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ‘લક’ને લાગેલા ચાર ચાંદઃ રૂા.1200 કરોડની વિવિધ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજન

  • પર્યાવરણને કોઈપણ પ્રકારના નુકસાન કર્યા વગર લક્ષદ્વીપમાં સીવીડની ખેતી સંબંધિત તપાસવામાં આવી રહી છે શક્‍યતાઓ

  • ભૂતકાળની કેન્‍દ્ર સરકારોએ લક્ષદ્વીપ જેવા નાનાં પ્રદેશના વિકાસ પ્રત્‍યે રાખેલી ઉદાસિનતાઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.03 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાના લક્ષદ્વીપ પ્રવાસના બીજા દિવસે લગભગ રૂા.1200 કરોડની વિવિધ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજન બાદ લોકોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, લક્ષદ્વીપનો ભૂમિ વિસ્‍તાર ભલે નાનો હોય પરંતુ લક્ષદ્વીપના લોકોનું દિલ સમુદ્ર જેટલું વિશાળ છે. તેમણે ભૂતકાળની કેન્‍દ્ર સરકારોએ લક્ષદ્વીપ જેવા નાનાં પ્રદેશના વિકાસ પ્રત્‍યે રાખેલી ઉદાસિનતાનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ભૂતકાળની સરકારોની પ્રાથમિકતા તેમના રાજકીય પક્ષોનો વિકાસ જ રહી હતી. તેમણે ક્‍યારેય દૂરના રાજ્‍યો, સમુદ્રની વચ્‍ચે આવેલા અને સરહદ ઉપર ધ્‍યાન જ આપ્‍યું નથી. જ્‍યારે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે સરહદી વિસ્‍તારો દરિયાના છેવાડેના વિસ્‍તારોને પોતાની પ્રાથમિકતાબનાવી છે.
આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લોકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, વર્ષ 2020માં, મેં તમને ખાતરી આપી છે કે તમને 1000 દિવસમાં ઝડપી ઇન્‍ટરનેટ ઍક્‍સેસ મળશે. આજે કોચીલક્ષદ્વીપ સબમરીન ઓપ્‍ટિકલ ફાઈબર પ્રોજેક્‍ટનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું છે. હવે લક્ષદ્વીપમાં પણ 100 ગણી વધુ સ્‍પીડ પર ઈન્‍ટરનેટ ઉપલબ્‍ધ થશે. આ સાથે આવી ઘણી સુવિધાઓ, પછી તે સરકારી સેવાઓ હોય, સારવાર, શિક્ષણ, ડિજિટલ બેંકિંગ વગેરે વધુ સારી બનશે. આનાથી લક્ષદ્વીપ લોજિસ્‍ટિક્‍સ સેવાઓનું હબ બનવાની શક્‍યતાઓને પણ મજબૂત બનાવશે. લક્ષદ્વીપમાં પણ દરેક ઘર સુધી પાઈપથી પાણી પહોંચાડવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. ખારા પાણીને તાજા પાણીમાં રૂપાંતરિત કરવા માટેનો નવો પ્‍લાન્‍ટ આ મિશનને વધુ આગળ વધારશે. આ પ્‍લાન્‍ટ દરરોજ 1.5 લાખ લિટર પીવાનું પાણી પૂરું પાડશે. તેના પાઇલોટ પ્‍લાન્‍ટ હાલમાં કવરત્તી, અગાતી અને મિનિકોય આઇલેન્‍ડમાં સ્‍થાપવામાં આવ્‍યા છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, લક્ષદ્વીપ આવ્‍યા પછી હું અલી માનિકફાનજીને પણ મળ્‍યો. તેમના સંશોધનો, તેમની નવીનતાઓથી આ સમગ્ર પ્રદેશને ઘણો ફાયદો થયો છે. અમારી સરકાર માટે ખૂબ જ આનંદની વાત છે કે અમને વર્ષ 2021માં અલી માનિકફાનને પદ્મશ્રી સન્‍માન આપવાની તકમળી. ભારત સરકાર અહીંના યુવાનો માટે વધુ અભ્‍યાસ કરવા માટે નવીનતાના નવા રસ્‍તાઓ બનાવી રહી છે. આજે પણ અહીંના યુવાનોને લેપટોપ મળ્‍યા છે, દીકરીઓને સાયકલ મળી છે. તાજેતરના વર્ષો સુધી લક્ષદ્વીપમાં કોઈ ઉચ્‍ચ શિક્ષણ સંસ્‍થાઓ ન હતી. જેના કારણે અહીંના યુવાનોને અભ્‍યાસ માટે બહાર જવું પડયું હતું. અમારી સરકારે હવે લક્ષદ્વીપમાં ઉચ્‍ચ શિક્ષણ માટે નવી સંસ્‍થાઓ ખોલી છે. એન્‍ડ્રોટ અને કદમત ટાપુઓમાં નવી કલા અને વિજ્ઞાન કોલેજો ખોલવામાં આવી છે. મિનીકોયમાં નવી પોલિટેકનિક બનાવવામાં આવી છે. જેનો અહીંના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપવાસીઓને યાદ કરાવતા જણાવ્‍યું હતું કે, મિત્રો, હજયાત્રીઓની સુવિધા માટે અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી અહીંના લોકોને પણ ફાયદો થયો છે. હજયાત્રીઓ માટે વિઝા નિયમો પણ સરળ બનાવવામાં આવ્‍યા છે. હજ સંબંધિત મોટાભાગની પ્રવૃત્તિઓ હવે ડિજિટલ થઈ ગઈ છે. સરકારે મહિલાઓને મેહરમ વગર હજ પર જવાની પરવાનગી પણ આપી છે. આ તમામ પ્રયાસોને કારણે ઉમરાહ માટે જનારા ભારતીયોની સંખ્‍યામાં ઘણો વધારો થયો છે. તેમણે જણાવ્‍યું હતું કે, આજે ભારત સી-ફૂડના મામલામાં વૈશ્વિક બજારમાં પોતાનો હિસ્‍સો વધારવા પર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યુંછે. તેનો લાભ લક્ષદ્વીપને પણ મળી રહ્યો છે. અહીંની ટુના માછલી હવે જાપાનમાં નિકાસ થવા લાગી છે. નિકાસ ગુણવત્તાની માછલી માટે ઘણી શક્‍યતાઓ છે, જે અહીંના અમારા માછીમારી પરિવારોનું જીવન બદલી શકે છે. અહીં સીવીડની ખેતી સંબંધિત શક્‍યતાઓ પણ તપાસવામાં આવી રહી છે. લક્ષદ્વીપનો વિકાસ કરતી વખતે, અમારી સરકાર પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય તે માટે પણ સંપૂર્ણ ધ્‍યાન આપી રહી છે. બેટરી એનર્જી સ્‍ટોરેજ સિસ્‍ટમ સાથે બનેલો આ સોલાર પાવર પ્‍લાન્‍ટ આવા પ્રયાસનો એક ભાગ છે. લક્ષદ્વીપનો આ પહેલો બેટરી બેક્‍ડ સોલર પાવર પ્રોજેક્‍ટ છે. આનાથી ડીઝલમાંથી વીજળી ઉત્‍પન્ન કરવાની ફરજ ઓછી થશે. આનાથી અહીં પ્રદૂષણ ઘટશે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર ન્‍યૂનતમ અસર થશે.
પ્રધાનમંત્રીશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, આઝાદીના સુવર્ણકાળ દરમિયાન વિકસિત ભારતના નિર્માણમાં પણ લક્ષદ્વીપે મોટી ભૂમિકા ભજવી હતી. ભારત સરકાર લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર આગવી રીતે લાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં અહીં યોજાયેલી જી-20 બેઠકના કારણે લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ઓળખ મળી છે. સ્‍વદેશ દર્શન યોજના હેઠળ લક્ષદ્વીપ માટે ડેસ્‍ટિનેશન સ્‍પેસિફિક માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે લક્ષદ્વીપ પાસે બે બ્‍લુ ફલેગ બીચ છે.મને કહેવામાં આવ્‍યું છે કે દેશનો પ્રથમ વોટર વિલા પ્રોજેક્‍ટ કદમત અને સુહેલી ટાપુઓ પર બનાવવામાં આવી રહ્યો છે. લક્ષદ્વીપ હવે ક્રુઝ ટુરિઝમ માટે એક મોટું સ્‍થળ બની રહ્યું છે. અહીં આવતા પ્રવાસીઓની સંખ્‍યામાં પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં લગભગ 5 ગણો વધારો થયો છે. તમે જોયું હશે કે મેં દેશના લોકોને વિદેશ પ્રવાસ કરતા પહેલાં દેશમાં ઓછામાં ઓછા 15 સ્‍થળોની મુલાકાત લેવાની અપીલ કરી છે. જે લોકો વિશ્વના વિવિધ દેશોના ટાપુઓ જોવા ઈચ્‍છે છે અને સમુદ્રથી અભિભૂત થઈ ગયા છે, તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પહેલા લક્ષદ્વીપ આવે. હું માનું છું કે એક વાર અહીંના સુંદર બીચ જોયા પછી તે બીજા દેશમાં જવાનું ભૂલી જશે. હું તમને બધાને ખાતરી આપું છું કે કેન્‍દ્ર સરકાર ‘Ease of Living, Ease of Travel, Ease of Doing Business’ માટે દરેક શક્‍ય પગલાં લેવાનું ચાલુ રાખશે. લક્ષદ્વીપ વિકસિત ભારતના નિર્માણમાં મજબૂત ભૂમિકા ભજવશે તેવા વિશ્વાસ સાથે, વિકાસના પ્રોજેક્‍ટ્‍સ માટે પ્રધાનમંત્રીશ્રીએ હૃદયથી અહીંના લોકોને અભિનંદન આપ્‍યા હતા.
પ્રારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં પ્રધાનમંત્રીશ્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના વિઝન પ્રત્‍યે આભાર પ્રગટ કરીલક્ષદ્વીપમાં રૂા.1200 કરોડના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજનની વિસ્‍તૃત વિગતો દર્શાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, એક્‍સ સર્વિસમેન, કોલેજના ટોપર્સ, વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓ તથા લખપતિ દીદીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું અભિવાદન કર્યું હતું.

Related posts

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

Leave a Comment