આજે ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ શાખાના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે.
આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી કેટલાક ગ્રેજ્યુએટ યુવાઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં હાલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરનાર તથા ઈન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરો, નર્સિંગ ગ્રેજ્યુએટ, એન્જિનિયર તથા સ્નાતક સ્તરનો અભ્યાસ કરનારા નવયુવાનોને સન્માનિત કરાશે.
આ પ્રસંગે દમણ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહ મુખ્ય અતિથિ તરીકે અને દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી સ્થાપના દિવસની શોભા વધારશે.