October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ‘‘મન કી બાત”માં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મિયાવાકી જંગલના ફાયદા વિશે વાત કરી તથા તેના પ્રસાર પર ભાર મૂકયો હતો. આ વર્ષે ગુજરાત સરકારદ્વારા ‘‘વન કવચ”ની થીમ પર મિયાવાકી પધ્‍ધતિથી વૃક્ષારોપણ થયુ હતું. ત્‍યારે વલસાડના કૈલાસ રોડ પર સ્‍થિત સ્‍મશાન ભૂમિમાં તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 9-45 કલાકે બીલીમોરાના હરિયાળી ગૃપ ટ્રસ્‍ટ દ્વારા 80 થી 85 જાતના કુલ 4 હજાર વૃક્ષો રોપવામાં આવશે. બે વર્ષ પહેલા આંતલિયા જીઆઈડીસીમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. જેમાં -47 ડિગ્રી તાપમાનથી લઈ ૅ47 ડિગ્રી સુધીના તાપમાનમાં જાત જાતના વૃક્ષો રોપવામાં આવ્‍યા અને અચંબામાં પડી જવાય એવું પરિણામ મળ્‍યું હતું. આ સફળ પ્રયોગ પછી બીલીમોરા હરિયાળી ગૃપ દ્વારા વલસાડમાં પણ રવિવારે 4000 વૃક્ષોનું વાવેતરની સાથે 3 વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે. જે આવનાર સમયમાં વલસાડના પર્યાવરણ અને પ્રકળતિ પ્રેમીઓ માટે નવલું નજરાણું ગણાશે.

Related posts

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

ડુંગરા આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરમાં પડેલ ગાય માતાનું રેસ્‍કયુ કરાયું

vartmanpravah

ખેલો ઇન્‍ડિયા રાઇઝિંગ ટેલેન્‍ટ આઇડેન્‍ટિફિકેશન હેઠળ યુવાનો માટે  દમણમાં રમત-ગમત પ્રતિભા મૂલ્‍યાંકન કાર્યક્રમ સંપન્નઃ પ્રદેશના 1022 યુવાનોએ લીધેલો ભાગ

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment