(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ‘‘મન કી બાત”માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિયાવાકી જંગલના ફાયદા વિશે વાત કરી તથા તેના પ્રસાર પર ભાર મૂકયો હતો. આ વર્ષે ગુજરાત સરકારદ્વારા ‘‘વન કવચ”ની થીમ પર મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ થયુ હતું. ત્યારે વલસાડના કૈલાસ રોડ પર સ્થિત સ્મશાન ભૂમિમાં તા.24 સપ્ટેમ્બરના રોજ સવારે 9-45 કલાકે બીલીમોરાના હરિયાળી ગૃપ ટ્રસ્ટ દ્વારા 80 થી 85 જાતના કુલ 4 હજાર વૃક્ષો રોપવામાં આવશે. બે વર્ષ પહેલા આંતલિયા જીઆઈડીસીમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં -47 ડિગ્રી તાપમાનથી લઈ ૅ47 ડિગ્રી સુધીના તાપમાનમાં જાત જાતના વૃક્ષો રોપવામાં આવ્યા અને અચંબામાં પડી જવાય એવું પરિણામ મળ્યું હતું. આ સફળ પ્રયોગ પછી બીલીમોરા હરિયાળી ગૃપ દ્વારા વલસાડમાં પણ રવિવારે 4000 વૃક્ષોનું વાવેતરની સાથે 3 વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે. જે આવનાર સમયમાં વલસાડના પર્યાવરણ અને પ્રકળતિ પ્રેમીઓ માટે નવલું નજરાણું ગણાશે.