Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ‘‘મન કી બાત”માં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મિયાવાકી જંગલના ફાયદા વિશે વાત કરી તથા તેના પ્રસાર પર ભાર મૂકયો હતો. આ વર્ષે ગુજરાત સરકારદ્વારા ‘‘વન કવચ”ની થીમ પર મિયાવાકી પધ્‍ધતિથી વૃક્ષારોપણ થયુ હતું. ત્‍યારે વલસાડના કૈલાસ રોડ પર સ્‍થિત સ્‍મશાન ભૂમિમાં તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 9-45 કલાકે બીલીમોરાના હરિયાળી ગૃપ ટ્રસ્‍ટ દ્વારા 80 થી 85 જાતના કુલ 4 હજાર વૃક્ષો રોપવામાં આવશે. બે વર્ષ પહેલા આંતલિયા જીઆઈડીસીમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. જેમાં -47 ડિગ્રી તાપમાનથી લઈ ૅ47 ડિગ્રી સુધીના તાપમાનમાં જાત જાતના વૃક્ષો રોપવામાં આવ્‍યા અને અચંબામાં પડી જવાય એવું પરિણામ મળ્‍યું હતું. આ સફળ પ્રયોગ પછી બીલીમોરા હરિયાળી ગૃપ દ્વારા વલસાડમાં પણ રવિવારે 4000 વૃક્ષોનું વાવેતરની સાથે 3 વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે. જે આવનાર સમયમાં વલસાડના પર્યાવરણ અને પ્રકળતિ પ્રેમીઓ માટે નવલું નજરાણું ગણાશે.

Related posts

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે સામાન્‍ય વરસાદમાં પણ નાવણી નદી પરના ડૂબાઉ કોઝ-વેથી લોકોને પડતી ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment