September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

સીઈટીપીની ક્ષમતામાં વધારો થશે : 55 એમ.એલ.ડી. પ્‍લાન્‍ટને 70 એમ.એલ.ડી. બનાવવા ઈ.સી. મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા શનિવારે વી.આઈ.એ. ઓડિટોરિયમમાં યોજાઈ હતી. જેમાં ઘણી સકારાત્‍મક કામગીરી અને નિર્ણયો લેવામાં આવ્‍યા છે. ખાસ કરીને એ.જી.એમ.માં 99 ઉદ્યોગકારોને ઈન્‍ફલુયન્‍સ છોડવાના મંજુરીપત્રો એનાયત થયા હતા. તેમજ સી.ઈ.ટી.પી.ની ક્ષમતાનો વધારો થશે તેવા સંકેત ઉજાગર થયા છે. હાલના 55 એમ.એલ.ડી. પ્‍લાન્‍ટને 70 એમ.એલ.ડી. ક્ષમતા વાળોપ્‍લાન્‍ટ બનાવવાની ઈ.સી. મળી ગઈ છે. નીરોના રિપોર્ટ બાદ એક્‍સ્‍પાનશન પ્રક્રિયા શરૂ થશે. આ માટે 10 કરોડની ફાળવણી થઈ ચૂકી છે.
26મી વાર્ષિક સાધારણ સભામાં રાજ્‍ય સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની ખાસ ઉપસ્‍થિતિ હતી. વી.સી.એમ.ડી. રાહુલ ગુપ્તા અધ્‍યક્ષ સ્‍થાને એ.જી.એમ. યોજાઈ હતી. જેમાં ગ્રીન એન્‍વાયરો દ્વારા ચાલી રહેલી કામગીરીનો ચિતાર આપવામાં આવ્‍યો હતો. વર્તમાન ડીરેક્‍ટર સુરેશ પટેલ, વી.આઈ.એ. ઉપ પ્રમુખ મગન સાવલીયા, સેક્રેટરી કલ્‍પેશ વોરા અને સુનિલ અગ્રવાલને વધુ બે વર્ષ 2025 સુધી ડીરેક્‍ટર તરીકે રિપિટ કરાયા હતા. એ.જી.એમ.માં ગ્રીન એન્‍વાયરોના પદાધિકારીઓ વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, ઉદ્યોગપતિ સાંન્‍દ્રાબેન શ્રોફ, એ.કે. પટેલ, મિલન દેસાઈ, યોગેશ કાબરીયા ઉપસ્‍થિત રહ્યા હતા. વી.સી.એમ.ડી. રાહુલ ગુપ્તા ચેરમેનએ ગ્રીન એન્‍વાયરો બે દિવસનું રોકાણ કર્યું છે. તેમણે પડતર પ્રશ્નો તથા વી.આઈ.એ. દ્વારા તૈયાર થનાર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ જગ્‍યા, નવી સોલિડ વેસ્‍ટ સાઈડ, સી.ઈ.ટી.પી. અને મુક્‍તિ ધામ જેવા સ્‍થળોની મુલાકાત લીધી હતી.

Related posts

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

વિવેકભાઈ વેલફર ગ્રુપ દ્વારા આયોજિત ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટે સમગ્ર જિલ્લામાં જમાવેલુ આકર્ષણ

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવનારા આરોગ્‍ય કર્મચારીઓને પણ કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ કામગીરીનો પગાર ચુકવવા ઉઠેલી માંગ

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment