રૂા.1.57 કરોડની અનઅધિકૃત મિલકતો અબ્રામા, કાંજણહરી,
જુજવા અને ધરમપુરમાં મળી આવી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: સુરતમાં તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસ (ટી.પી.ઓ.) તરીકે ફરજ બજાવતા કૈલાસ ભોયા ઉપર એ.સી.બી. દ્વારા અપ્રમાણસરની મિલકતો અંગે તવાઈ ચાલી રહી છે. એ.સી.બી. વડોદરા દ્વારા ચાલતી તપાસ રેલો વલસાડ સુધી વિસ્તર્યો છે. કૈલાસ ભોયાની વલસાડ-ધરમપુરમાં ખાસ્સી મિલકતો તપાસમાં બહાર આવી છે. વલસાડ એ.સી.બી.ને સાથે રાખીને વલસાડ અબ્રામા, જુજવા, વલસાડ જલારામ સોસાયટીમાં મિલકતો હોવાથી બહાર આવ્યું હતું.
સુરત ટી.પી.ઓ તરીકે ફરજ બજાવતા કૈલાસભોયા વિરૂધ્ધ અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી. વડોદરાએ તપાસ હાથ ધરી છે. જેનો રેલો વલસાડ-ધરમપુર સુધી વિસ્તર્યો છે. ધરમપુરમાં પત્ની અને પૂત્રીના નામે મિલકતો મળી આવી છે. સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાની સંપતિના માલિક બની જતા હોય છે. તેનો જાગતિક પુરાવો ટી.પી.ઓ. કૈલાસ ભોયા થકી મળી રહ્યો છે. હજુ એ.સી.બી. વડોદરા અને વલસાડની તપાસ ચાલુ છે. તેથી નવી બાબતો પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.