Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

રૂા.1.57 કરોડની અનઅધિકૃત મિલકતો અબ્રામા, કાંજણહરી,
જુજવા અને ધરમપુરમાં મળી આવી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: સુરતમાં તત્‍કાલિન ટાઉન પ્‍લાનિંગ ઓફિસ (ટી.પી.ઓ.) તરીકે ફરજ બજાવતા કૈલાસ ભોયા ઉપર એ.સી.બી. દ્વારા અપ્રમાણસરની મિલકતો અંગે તવાઈ ચાલી રહી છે. એ.સી.બી. વડોદરા દ્વારા ચાલતી તપાસ રેલો વલસાડ સુધી વિસ્‍તર્યો છે. કૈલાસ ભોયાની વલસાડ-ધરમપુરમાં ખાસ્‍સી મિલકતો તપાસમાં બહાર આવી છે. વલસાડ એ.સી.બી.ને સાથે રાખીને વલસાડ અબ્રામા, જુજવા, વલસાડ જલારામ સોસાયટીમાં મિલકતો હોવાથી બહાર આવ્‍યું હતું.
સુરત ટી.પી.ઓ તરીકે ફરજ બજાવતા કૈલાસભોયા વિરૂધ્‍ધ અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી. વડોદરાએ તપાસ હાથ ધરી છે. જેનો રેલો વલસાડ-ધરમપુર સુધી વિસ્‍તર્યો છે. ધરમપુરમાં પત્‍ની અને પૂત્રીના નામે મિલકતો મળી આવી છે. સરકારી બાબુઓ ભ્રષ્‍ટાચાર કરીને કરોડો રૂપિયાની સંપતિના માલિક બની જતા હોય છે. તેનો જાગતિક પુરાવો ટી.પી.ઓ. કૈલાસ ભોયા થકી મળી રહ્યો છે. હજુ એ.સી.બી. વડોદરા અને વલસાડની તપાસ ચાલુ છે. તેથી નવી બાબતો પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.

Related posts

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી વી.આઈ.એ. હોલમાં જે.સી.આઈ. દ્વારા પ્રથમવાર નવતર બિઝનેસ મીટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

Leave a Comment