January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

ઘર ફોડ ચોરી બાદ હવે ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટી તોડી ચોરી કરવા લાગ્‍યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના ખુંટેજ ગામમાં આવેલ મંદિર ફળિયામાં અમરનાથ મહાદેવ મંદિરના દરવાજાનો નકૂચો કોઈ સાધન વડે તોડી, જ્‍યારે જગત ફળિયામાં આવેલ જલારામ મંદિરમાં બહાર રાખવામાં આવેલ ચાવી વડે દરવાજો ખોલી અને ભગત ફળિયામાં પણ હનુમાનજીના મંદિરે બહાર રાખવામાં આવતી ચાવી વડે મંદિરનો દરવાજો ખોલી ત્રણેય મંદિરની દાનપેટી તોડી દાનપેટીમાં રાખવામાં આવતી દાનની રકમ આશરે હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરી ભાગી છુટયા હતા.
જોકે મંદિર ફળિયાના અમરનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલ સીસીટીવીમાં રાત્રે 12:47 એ કોઈ અજાણ્‍યો ઈસમ કોઈક સાધન વડે મંદિરનો દરવાજો તોડી દાનપેટીને તોડી ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
આમ હવે કળિયુગમાં ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી અને કોઈપણ જાતના ડર વિના આવા ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી બિન્‍દાસ ચોરી કરી રહ્યા છે.

Related posts

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

વાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

Leave a Comment