ઘર ફોડ ચોરી બાદ હવે ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટી તોડી ચોરી કરવા લાગ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના ખુંટેજ ગામમાં આવેલ મંદિર ફળિયામાં અમરનાથ મહાદેવ મંદિરના દરવાજાનો નકૂચો કોઈ સાધન વડે તોડી, જ્યારે જગત ફળિયામાં આવેલ જલારામ મંદિરમાં બહાર રાખવામાં આવેલ ચાવી વડે દરવાજો ખોલી અને ભગત ફળિયામાં પણ હનુમાનજીના મંદિરે બહાર રાખવામાં આવતી ચાવી વડે મંદિરનો દરવાજો ખોલી ત્રણેય મંદિરની દાનપેટી તોડી દાનપેટીમાં રાખવામાં આવતી દાનની રકમ આશરે હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરી ભાગી છુટયા હતા.
જોકે મંદિર ફળિયાના અમરનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલ સીસીટીવીમાં રાત્રે 12:47 એ કોઈ અજાણ્યો ઈસમ કોઈક સાધન વડે મંદિરનો દરવાજો તોડી દાનપેટીને તોડી ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
આમ હવે કળિયુગમાં ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી અને કોઈપણ જાતના ડર વિના આવા ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી બિન્દાસ ચોરી કરી રહ્યા છે.