August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

ઘર ફોડ ચોરી બાદ હવે ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટી તોડી ચોરી કરવા લાગ્‍યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના ખુંટેજ ગામમાં આવેલ મંદિર ફળિયામાં અમરનાથ મહાદેવ મંદિરના દરવાજાનો નકૂચો કોઈ સાધન વડે તોડી, જ્‍યારે જગત ફળિયામાં આવેલ જલારામ મંદિરમાં બહાર રાખવામાં આવેલ ચાવી વડે દરવાજો ખોલી અને ભગત ફળિયામાં પણ હનુમાનજીના મંદિરે બહાર રાખવામાં આવતી ચાવી વડે મંદિરનો દરવાજો ખોલી ત્રણેય મંદિરની દાનપેટી તોડી દાનપેટીમાં રાખવામાં આવતી દાનની રકમ આશરે હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરી ભાગી છુટયા હતા.
જોકે મંદિર ફળિયાના અમરનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલ સીસીટીવીમાં રાત્રે 12:47 એ કોઈ અજાણ્‍યો ઈસમ કોઈક સાધન વડે મંદિરનો દરવાજો તોડી દાનપેટીને તોડી ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
આમ હવે કળિયુગમાં ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી અને કોઈપણ જાતના ડર વિના આવા ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી બિન્‍દાસ ચોરી કરી રહ્યા છે.

Related posts

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડ અબ્રામાત હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા વૃધ્‍ધ ઉપર ટેમ્‍પો ફરીવળતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

vartmanpravah

Leave a Comment