Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

ઘર ફોડ ચોરી બાદ હવે ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટી તોડી ચોરી કરવા લાગ્‍યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી તાલુકાના ખુંટેજ ગામમાં આવેલ મંદિર ફળિયામાં અમરનાથ મહાદેવ મંદિરના દરવાજાનો નકૂચો કોઈ સાધન વડે તોડી, જ્‍યારે જગત ફળિયામાં આવેલ જલારામ મંદિરમાં બહાર રાખવામાં આવેલ ચાવી વડે દરવાજો ખોલી અને ભગત ફળિયામાં પણ હનુમાનજીના મંદિરે બહાર રાખવામાં આવતી ચાવી વડે મંદિરનો દરવાજો ખોલી ત્રણેય મંદિરની દાનપેટી તોડી દાનપેટીમાં રાખવામાં આવતી દાનની રકમ આશરે હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરી ભાગી છુટયા હતા.
જોકે મંદિર ફળિયાના અમરનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલ સીસીટીવીમાં રાત્રે 12:47 એ કોઈ અજાણ્‍યો ઈસમ કોઈક સાધન વડે મંદિરનો દરવાજો તોડી દાનપેટીને તોડી ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
આમ હવે કળિયુગમાં ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી અને કોઈપણ જાતના ડર વિના આવા ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી બિન્‍દાસ ચોરી કરી રહ્યા છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

વાપી ચણોદ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી થયાનું બહાર પડયું

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment