Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્‍યા બાબતે બે જૂથો સામસામે આવી જતા ખુરશીઓ ઉછળતા ભારે હોબાળો મચ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતમાં બપોરે ત્રણેક વાગ્‍યાના અરસામાં તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી શ્રી કેતનભાઈ, તલાટી, સરપંચ સહિતની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાનઘણા સમયથી અનિર્ણયિક રહેલા ગ્રામ પંચાયતની નવી કચેરીના બાંધકામની જગ્‍યા અંગેનો પ્રશ્ન આવતા ચર્ચાનો દોર વચ્‍ચે બે જૂથો સામ-સામે આવી ગયા હતા અને એક જૂથ જૂની જગ્‍યા એટલે કે હાલે જ્‍યાં કચેરી ગામતળમાં છે ત્‍યાં જ નવી કચેરીનું બાંધકામ કરવા માટે તો બીજું જૂથ હાલની કચેરી વાળી જગ્‍યા ઓછી પડતી હોય અન્‍ય જગ્‍યાએ બાંધકામ કરવા પર અડી જતા વાતાવરણ તંગ થઈ જવા પામ્‍યું હતું અને ભારે હોબાળા સાથે બહાર બે ટોળા વચ્‍ચે ઉગ્ર બોલાચાલી વચ્‍ચે એક સમયે ટોળામાં ખુરશી ઉછળવા સાથે કેટલાકને ધક્કે પણ ચઢાવાતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
માણેકપોરમાં ગ્રામ પંચાયતની નવી કચેરીના બાંધકામ માટે જરૂરી ગ્રાન્‍ટ પણ મંજૂર થયેલ હોવા છતાં બાંધકામની જગ્‍યાની ખેંચતાણમાં નવી કચેરીનું બાંધકામ ટલ્લે ચડ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું અને આ વિવાદને લઈને ગ્રામસભા ઉગ્ર બની હતી ગ્રામ સભામાં વિવાદ અંગેનો વિડીયો પણ ફરતો થઈ ગયો હતો.
જોકે બાદમાં કેટલાકની મધ્‍યસ્‍થી બાદ સહી ઝુંબેશ ચલાવી જૂની જગ્‍યાએ જ કચેરીનું બાંધકામ કરવાનું નક્કી કરી મામલો થાળે પાડ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું.
માણેકપોરના સરપંચ રાજુભાઈના જણાવ્‍યાનુસાર ગ્રામસભામાં ગ્રામ પંચાયતની કચેરીના બાંધકામની જગ્‍યા બાબતેબોલચાલ થઈ હતી. પરંતુ બધું પતી ગયું છે. કચેરી હાલની કચેરી વાળી જગ્‍યામાં જ બનાવવા માટે બધાની સહીઓ લઈ સર્વ સંમતિ કરવામાં આવી છે.અને બંને પાર્ટીઓ બેસી ગઈ છે.

Related posts

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment