March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને હોદ્દેદારોની મળેલી મિટિંગમાં નવા કાયદા અંગે સમિક્ષા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: તાજેતરના ચોમાસુ સંસદીય સત્રમાં ગૃહમંત્રાલય દ્વારા અનેક જુના કાયદાઓ રદ્દ કરી નવેસરથી નવા કાયદા ઘડવામાં આવ્‍યા હતા. જેમાં રોડ અકસ્‍માત બાદ ડ્રાઈવર વાહન છોડી ભાગી જાય તે માટે કડક સજા અને જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાઈવરો માટે ઘડાયેલા નવા કાયદાના દેશભરમાં ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે શુક્રવારે વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન વી.ટી.એ ઓફીસમાં મળેલી હોદ્દેદારોની મિટિંગમાં નવા કાયદાને વખોડી નાખવામાં આવ્‍યો હતો.
વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનની પ્રમુખ ભરતભાઈ ઠક્કરની આગેવાનીમાં આજે વી.ટી.એ.માં મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસદમાં અકસ્‍માત બાદ ડ્રાઈવર સ્‍થળેથી ભાગી જાય તેવા સંજોગમાં ડ્રાઈવરને કડક સજા જેલ અને દંડની જોગવાઈનો પણ કાયદો બનાવાયો છે. આ કાયદાનો ટ્રાન્‍સપોર્ટરોએ વિરોધ કર્યો હતો. કારણ કે અકસ્‍માત બદ્દઈરાદાથી કરાતો નથી. પરંતુ થઈ જતો હોય છે. તેવા સંજોગોમાં લોકો ડ્રાઈવરોને માર મારતા હોય છે તેથી ડરથી ડ્રાઈવર વાહન છોડી ભાગી જતા હોય છે. તેઓ અસલામત હોય છે. આવાસંજોગોમાં નવા કાયદામાં ડ્રાઈવરોનું હિત જોવાયુ નથી તેવું ભરતભાઈ ઠક્કરે જણાવ્‍યું હતું. અન્‍ય સમિક્ષા પણ કરાઈ હતી. ટ્રાન્‍સપોર્ટ અર્થતંત્રનું પરિબળ છે. ડ્રાઈરો નોકરી નહી કરશે તો આંખા વ્‍યવસાય ઉપર માઠી અસર પડશે.

Related posts

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

Leave a Comment