June 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

ધારાસભ્‍ય-નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્‍તારમાં કળશની પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશયાત્રાઓ ચાલી રહી છે તે સંદર્ભે વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈએ અમૃત કળશ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા શહીદોની યાદીમાં બનાવવામાં આવેલ અમૃત વાટિકા ખાતે માટી અને ચોખા પહોંચાડવાનું અભિયાનનો આરંભ તે અનુસંધાનમાં આજે વાપી છરવાડા રોડ વિસ્‍તારમાં આવેલ ઉમિયા ચોકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કળશની પૂજા કરી રથમાં ચપટી માટી અને ચોખા ભેગા કરી રથને લીલી ઝંડી આપી હતી. કનુભાઈ દેસાઈના પોતાના મત વિસ્‍તારમાં આયોજીત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના તમામ શહેર, તાલુકાઓમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

Related posts

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment