March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

ધારાસભ્‍ય-નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્‍તારમાં કળશની પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશયાત્રાઓ ચાલી રહી છે તે સંદર્ભે વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈએ અમૃત કળશ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા શહીદોની યાદીમાં બનાવવામાં આવેલ અમૃત વાટિકા ખાતે માટી અને ચોખા પહોંચાડવાનું અભિયાનનો આરંભ તે અનુસંધાનમાં આજે વાપી છરવાડા રોડ વિસ્‍તારમાં આવેલ ઉમિયા ચોકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કળશની પૂજા કરી રથમાં ચપટી માટી અને ચોખા ભેગા કરી રથને લીલી ઝંડી આપી હતી. કનુભાઈ દેસાઈના પોતાના મત વિસ્‍તારમાં આયોજીત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના તમામ શહેર, તાલુકાઓમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

Related posts

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment