October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

ધારાસભ્‍ય-નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્‍તારમાં કળશની પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશયાત્રાઓ ચાલી રહી છે તે સંદર્ભે વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈએ અમૃત કળશ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા શહીદોની યાદીમાં બનાવવામાં આવેલ અમૃત વાટિકા ખાતે માટી અને ચોખા પહોંચાડવાનું અભિયાનનો આરંભ તે અનુસંધાનમાં આજે વાપી છરવાડા રોડ વિસ્‍તારમાં આવેલ ઉમિયા ચોકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કળશની પૂજા કરી રથમાં ચપટી માટી અને ચોખા ભેગા કરી રથને લીલી ઝંડી આપી હતી. કનુભાઈ દેસાઈના પોતાના મત વિસ્‍તારમાં આયોજીત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના તમામ શહેર, તાલુકાઓમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

Related posts

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment