October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: પરમ પૂજ્‍યદેવશ્રી બજરંગ દાસ બાપાના કળપા પાત્ર સેવક અને આપણા સૌના વડીલ પૂજ્‍યશ્રી સ્‍વ.મનજી દાદાને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી ગિરીશભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે સ્‍વ.મનજીદાદા ગુરુ આશ્રમ બગદાણાના મેનેજીંગ ટ્રસ્‍ટી તારીખ 15/02/2024ના ગુરુવારના રોજ પરમ શક્‍તિ પરમાત્‍મામાં વિલીન થઈ ગુરૂ ચરણ થયેલ છે. સ્‍વ.મનજીદાદાની ખોટ ડાંગના આદિવાસી સમાજને નિઃસ્‍વાર્થ સેવાભાવી ખોટ પડી છે. ડાંગ જિલ્લામાં પણ સેવાની સુવાસ પ્રગટાવતા ડાંગ દરબારના સમયે ચાર વર્ષ સુધી બાપા સીતારામનું ભંડારાનું આયોજન કરતા હતા. સ્‍વ.મનજીદાદાના આ સેવા કાર્યમાં હજારો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા હતા. જ્‍યારે પણ દાદા આહવા ડાંગ દરબારના મેળામાં આવતા ત્‍યારે બાપા સીતારામ પરિવારના ભારતીબેન ગાયકવાડ સાથે તેઓના ખુબજ આત્‍મીય સબંધો રહ્યા હતા, જેથી સ્‍વ.મંજીદાદાની પ્રાર્થના સભાનું આયોજન આજે દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્‍યું, તેમના આત્‍માને શાંતિ મળે તે માટે ગીતાના પંદરમાં અધ્‍યાયનું વાંચન કરવામાં આવ્‍યું. સ્‍વ.મનજીદાદાના આત્‍માને સુખ શાંતિ અને મોક્ષ પ્રદાન મળે તે માટે બાપા સીતારામ પરિવાર આહવા દ્વારા મૌન પાડવામાં આવ્‍યું હતું, તથા ભજન કીર્તન કરવામાં આવ્‍યું હતું.
બાપા સીતારામ પરિવાર આહવાના ભારતીબેન ગાયકવાડ, ગૌરવ કટારે,કલ્‍યાણીબેન પારેખ, જયવંતાબેન ગાયકવાડ, સુમનબેન વાઘમારે જીગ્નેશ સોલંકી, વિજયભાઈ જોષી રેખાબેન ચૌધરી, ક્રિષ્‍ણાબેન રાઠોડ, મહેશભાઈ ખેરનાર તથા સમસ્‍ત બાપા સિતારામ પરિવાર હાજર રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકા બાર કાઉન્‍સિલ વકીલ મંડળના નવા પ્રમુખ તરીકે સંદીપ પટેલ જ્‍યારે સેક્રેટરી તરીકે દીપક પાઠકની કરાયેલી વરણી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણમાં પોલીસ વિભાગ દ્વારા ત્રિરંગા રેલી યોજાઈ: એકતા, અખંડિતતા અને અનુશાસનનો આપેલો સંદેશ

vartmanpravah

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

Leave a Comment