(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: પોદાર પ્રેય દ્વારા 2જી ઓક્ટોબરના દિવસે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેની થીમ હોમેજ (ણ્ંર્ળીફિંૂ) દ્દં ર્ગ્ીષ્ટય ર્ીઁફુ ર્લ્ણ્ીતદ્દશ્વશષશ હતી. જેમાં પોદાર પ્રેયના મોટા ભાગનાં બાળકોએ પોતાના વાલી સાથે આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોએ મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીજીનું આપણા દેશને આઝાદી અપાવા માટેનું યોગદાન વિષે માહિતી પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકો માટે આયોજીત કરવામાં આવી હતી અને આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ એના મહત્ત્વ વિશે જાણ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના દેશ નેતાઓની વેશભૂષામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતાઓએ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદિત થયા હતા.