વાપી, તા.15: આજ રોજ વાપી એસ.ટી. ડેપોના કામદાર તેમજ વાપી નગર પાલિકાના સહયોગથી વાપી એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર તરફથી જે જાહેર ક્ષેત્રમાં સામાજિક સંસ્થા, મંડળ, ભગિની સંસ્થા, વેલ્ફર સાથે સંકાયેલ સંસ્થાના સહયોગ લઈ તમામ જાહેર સ્થળો ઉપર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપવામાં આવેલ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્લોગનને સાર્થક કરવાનો પ્રયાસ વાપી નગર પાલિકા અને વાપી એસ.ટી. ડેપોના કામદાર દ્વારા કરવામાં આવેલ છે, આવો જ અભિગમ સહુ ફળિયામાં કે ગલીમાં કે સોસાયટીમાં પણ કરવામાં આવે તો સ્વચ્છતા અભિયાન સાર્થક થયું ગણાશે.