Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

  • પ્રથમ 150 દોડવીરો હાથમાં તિરંગો લઈને દોડી દેશભક્તિના દર્શન કરાવશે

  • સ્વતંત્રતા પર્વે સવારે દોડવીરો ઘર આંગણે રાષ્ટ્રધ્વજ ફરકાવશે

  • એકતા દોડમાં એક રાષ્ટ્ર, એક ભાવના અને એક પરિચયનો મેસેજ અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થવા ગલી-મહોલ્લા અને ગામડાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે તા. 14મી ઓગસ્ટે વલસાડ રેસર્સ ગૃપ દ્વારા એકતા દોડનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેનાર પ્રથમ 150 દોડવીરોને રાષ્ટ્રધ્વજ અપાશે. જે તિરંગો બીજા દિવસે 15મી ઓગસ્ટે પોત પોતાના ઘરે ફરકાવવામાં આવશે.
વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા તા.14 ઓગસ્ટે આયોજિત એકતા- દોડ (unity run)માં ભાગ લેવા માટે સવારે 6-00 કલાકે સર્કિટ હાઉસ ખાતે આવવાનું રહેશે. જ્યાં 6-15 સુધી રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે. 6-30 વાગે રાષ્ટ્રગીતના ગાન બાદ દોડનો પ્રારંભ કરાશે. 5 કિમીની દોડ સર્કિટ હાઉસથી પાલીહિલ સુધી અને ત્યાંથી પરત, 10 કિમીની દોડ સર્કિટ હાઉસથી સ્વામિનારાયણ મંદિર અને ત્યાંથી પરત જ્યારે 21 કિમીની દોડ સર્કિટ હાઉસથી સ્વામિનારાયણ મંદિર થઇ ફરી સેગવી ફાટકથી અટાર તળાવથી સિવિલ હોસ્પિટલનાં રસ્તે સર્કિટ હાઉસ પરત ફરશે. સવારે 8-00 થી 9-00 સુધી અલ્પાહાર કરાશે. એકતા દોડમાં ભાગ લેનાર પ્રથમ 150 દોડવીરોને રાષ્ટ્રધ્વજ અપાશે જે ધ્વજને પૂરાં સન્માન સાથે દોડવાનું રહેશે. ત્યારબાદ દરેક દોડવીર ધ્વજને પોતાનાં ઘરે લઇ જઈ બીજા દિવસે 15મી ઓગસ્ટે સવારે પોતાની ઘરે ધ્વજ વંદન કરી દેશને વફાદાર રહેવાનાં સોગંદ લેશે. એકતા દોડ માટે કોઈ ફી નથી પરંતુ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન https://forms.gle/Hxsm3es5tgAG8x72A પર કરાવવાનું રહેશે.
વલસાડ રેસર્સ ગૃપના એક્ટિવ મેમ્બર ડો. કલ્પેશભાઈ જોષીએ જણાવ્યું કે, આપણાં દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને સાકાર કરવાં માટે વલસાડ રેસર્સ ગ્રુપ તત્પર છે. જેથી 15મી ઓગષ્ટનાં દિવસે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીમાં હર ઘર તિરંગા અભિયાનમાં આપણે સૌ સહભાગી બની દરેક ઘરે તિરંગો લહેરાવીએ. તા. 14મી ઓગસ્ટે ધ્વજ લઇને એકતા દોડમાં ભોગ લેનારા તમામ દોડવીરે ધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવી તિરંગાના ધારાધોરણનું પાલન કરવાનું રહેશે. એકતા દોડમાં એક રાષ્ટ્ર, એક ભાવના અને એક પરિચયનો મેસેજ અપાશે. દોડ દરમિયાન રસ્તે કોઈએ પણ કચરો ફેંકવાનો રહેશે નહીં. પાણીની બોટલ જાતે લાવવાની રહેશે. વલસાડ રેસર્સ ગૃપ દ્વારા રસ્તામાં પાણી અને ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Related posts

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

Leave a Comment