October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

સંઘપ્રદેશના ઈર્ન્‍ફોમેશન ટેક્‍નોલોજી વિભાગ જ ‘અપડેટ’ નહીં હોવાની ઉભી થયેલી છાપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી(આઇ.ટી.) વિભાગ દ્વારા પ્રદેશની જનતાને એક જ જગ્‍યા પરથી ડિપાર્ટમેન્‍ટની માહિતી અને સર્વિસ અંગે ‘માય ડીડીડી’ એન્‍ડ્રોઇડ એપ લોન્‍ચ કરવામાં આવેલ છે. પરંતુ જેમાં કોઈપણ વિભાગના અધિકારીઓના સંપર્ક નંબર આપવામાં આવેલ નથી. પોલીસ વિભાગમાં હાલમાં પણ સંઘપ્રદેશના ડી.આઇ.જી. તરીકે શ્રી વિક્રમજીત સિંહ અને એસ.પી. તરીકે શ્રી હરેશ્વર સ્‍વામીનો જ નંબર જોવા મળે છે.
ઉપરાંત પ્રવાસન, આરોગ્‍ય વિભાગ તેમજ નગરપાલિકા, શિક્ષણ વિભાગ, કલેક્‍ટોરેટ વિભાગમાં પણ ફક્‍ત ઇ-મેઇલ આઈ.ડી. અને વેબસાઈટ તથા લેન્‍ડલાઈન નંબર જોવા મળે છે. અધિકારીઓના વ્‍યક્‍તિગત સંપર્ક નંબરો જોવા મળતાનથી. ટ્રાન્‍સપોર્ટ વિભાગમાં પણ અહીંથી બદલી થઈ ગયેલ હોય તેવા અધિકારીઓના જ નામો જોવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દા.ન.હ. પ્રશાસનની દરેક ઓફીસ સાંજે 6:00 વાગ્‍યે બંધ થઈ જાય છે, તેથી જનતાએ ઈમરજન્‍સી કે કોઈપણ સંકટ સમયે કોનો સંપર્ક કરવો? તેથી આ એપમાં લાગતા-વળગતા તમામ અધિકારીઓના મોબાઈલ નંબરો પણ રાખવામાં આવે એ જરૂરી છે. અને જેવી રીતે એપમા જૂના અધિકારીઓના નામો અને લેન્‍ડલાઈન નંબરો લખેલા જોવા મળે છે. એટલે કે, સંઘપ્રદેશ પ્રશાસનની મહત્ત્વની ‘માય ડીડીડી’ એન્‍ડ્રોઇડ એપ લોન્‍ચ કરાયા બાદથી આજ સુધી અપડેટ કરવામાં આવેલ નહીં હોવાનું પ્રતિત થાય છે. જેથી આ એન્‍ડ્રોઇડ એપને તાત્‍કાલિક અપડેટ કરવામાં આવે જેથી સંઘપ્રદેશની જનતાને યોગ્‍ય અને જરૂરી માહિતી મળી શકે.

Related posts

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment