August 30, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

સંઘપ્રદેશના ઈર્ન્‍ફોમેશન ટેક્‍નોલોજી વિભાગ જ ‘અપડેટ’ નહીં હોવાની ઉભી થયેલી છાપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી(આઇ.ટી.) વિભાગ દ્વારા પ્રદેશની જનતાને એક જ જગ્‍યા પરથી ડિપાર્ટમેન્‍ટની માહિતી અને સર્વિસ અંગે ‘માય ડીડીડી’ એન્‍ડ્રોઇડ એપ લોન્‍ચ કરવામાં આવેલ છે. પરંતુ જેમાં કોઈપણ વિભાગના અધિકારીઓના સંપર્ક નંબર આપવામાં આવેલ નથી. પોલીસ વિભાગમાં હાલમાં પણ સંઘપ્રદેશના ડી.આઇ.જી. તરીકે શ્રી વિક્રમજીત સિંહ અને એસ.પી. તરીકે શ્રી હરેશ્વર સ્‍વામીનો જ નંબર જોવા મળે છે.
ઉપરાંત પ્રવાસન, આરોગ્‍ય વિભાગ તેમજ નગરપાલિકા, શિક્ષણ વિભાગ, કલેક્‍ટોરેટ વિભાગમાં પણ ફક્‍ત ઇ-મેઇલ આઈ.ડી. અને વેબસાઈટ તથા લેન્‍ડલાઈન નંબર જોવા મળે છે. અધિકારીઓના વ્‍યક્‍તિગત સંપર્ક નંબરો જોવા મળતાનથી. ટ્રાન્‍સપોર્ટ વિભાગમાં પણ અહીંથી બદલી થઈ ગયેલ હોય તેવા અધિકારીઓના જ નામો જોવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દા.ન.હ. પ્રશાસનની દરેક ઓફીસ સાંજે 6:00 વાગ્‍યે બંધ થઈ જાય છે, તેથી જનતાએ ઈમરજન્‍સી કે કોઈપણ સંકટ સમયે કોનો સંપર્ક કરવો? તેથી આ એપમાં લાગતા-વળગતા તમામ અધિકારીઓના મોબાઈલ નંબરો પણ રાખવામાં આવે એ જરૂરી છે. અને જેવી રીતે એપમા જૂના અધિકારીઓના નામો અને લેન્‍ડલાઈન નંબરો લખેલા જોવા મળે છે. એટલે કે, સંઘપ્રદેશ પ્રશાસનની મહત્ત્વની ‘માય ડીડીડી’ એન્‍ડ્રોઇડ એપ લોન્‍ચ કરાયા બાદથી આજ સુધી અપડેટ કરવામાં આવેલ નહીં હોવાનું પ્રતિત થાય છે. જેથી આ એન્‍ડ્રોઇડ એપને તાત્‍કાલિક અપડેટ કરવામાં આવે જેથી સંઘપ્રદેશની જનતાને યોગ્‍ય અને જરૂરી માહિતી મળી શકે.

Related posts

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah

Leave a Comment