December 6, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

સમાજમાં પ્રવર્તી રહેલી બાળ વિવાહની કૂપ્રથાને જડમૂળથી મીટાવવા લીધેલા શપથ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્માના દિશાનિર્દેશ મુજબ ગઈકાલે મંગળવારે દાદરા નગર હવેલીના રાંધા ગામમાં ‘બાળ વિવાહ મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાળ વિવાહ નિષેધ અધિકારી અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કરના નેતૃત્‍વમાં સરપંચશ્રીની હાજરીમાં શાળાના બાળકો, શિક્ષકો, પંચાયત સભ્‍યો સહિત અન્‍ય પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તા, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા બાળ વિવાહના કુરિવાજને નાબૂદ કરવાની જાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ રેલીનો હેતુ લોકોમાં બાળ વિવાહને રોકવા માટે જનજાગૃતિ ફેલાવવા અને શાળાના બાળકોના માનસ પટલ પર આ કુરિવાજના કારણે તેમના આરોગ્‍ય પર પડી રહેલા દુષ્‍પ્રભાવ પ્રત્‍યે જાગૃત કરવાનો હતો.
આ દરમિયાન હાજર રહેલા તમામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ સુનિશ્ચિત કરશે કે એમની આજુબાજુ અને સમુદાયમાં કોઈપણ કુટુંબ બાળ વિવાહ ન કરે અને જો કોઈ એવો કિસ્‍સો ધ્‍યાન પર આવશે તો એનીજાણકારી જિલ્લાના બાળ વિવાહ નિષેધ અધિકારી અને મામલતદાર સેલવાસને આપશે.
અત્રે આયોજીત બાળ વિવાહ નાબૂદી જાગૃતિ રેલીમાં રાંધા પંચાયતના ગ્રામજનોએ પૂર્ણ સહયોગ આપ્‍યો હતો અને બાળ વિવાહના આ દુષણને જડમૂળથી મીટાવવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

Related posts

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામના છતરીયા ફળિયામાં પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની 12 અને 13મી નવેમ્‍બરે પ્રસ્‍તાવિત સંઘપ્રદેશની મુલાકાતને નજર સમક્ષ રાખી સેલવાસમાં ચાલી રહેલી સ્‍વાગત માટેની તડામાર તૈયારીઃ પોલીસ વિભાગ દ્વારા લોકોનું કરાઈ રહેલું વેરીફિકેશન

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

Leave a Comment