July 12, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

સમાજમાં પ્રવર્તી રહેલી બાળ વિવાહની કૂપ્રથાને જડમૂળથી મીટાવવા લીધેલા શપથ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્માના દિશાનિર્દેશ મુજબ ગઈકાલે મંગળવારે દાદરા નગર હવેલીના રાંધા ગામમાં ‘બાળ વિવાહ મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાળ વિવાહ નિષેધ અધિકારી અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કરના નેતૃત્‍વમાં સરપંચશ્રીની હાજરીમાં શાળાના બાળકો, શિક્ષકો, પંચાયત સભ્‍યો સહિત અન્‍ય પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તા, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા બાળ વિવાહના કુરિવાજને નાબૂદ કરવાની જાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ રેલીનો હેતુ લોકોમાં બાળ વિવાહને રોકવા માટે જનજાગૃતિ ફેલાવવા અને શાળાના બાળકોના માનસ પટલ પર આ કુરિવાજના કારણે તેમના આરોગ્‍ય પર પડી રહેલા દુષ્‍પ્રભાવ પ્રત્‍યે જાગૃત કરવાનો હતો.
આ દરમિયાન હાજર રહેલા તમામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ સુનિશ્ચિત કરશે કે એમની આજુબાજુ અને સમુદાયમાં કોઈપણ કુટુંબ બાળ વિવાહ ન કરે અને જો કોઈ એવો કિસ્‍સો ધ્‍યાન પર આવશે તો એનીજાણકારી જિલ્લાના બાળ વિવાહ નિષેધ અધિકારી અને મામલતદાર સેલવાસને આપશે.
અત્રે આયોજીત બાળ વિવાહ નાબૂદી જાગૃતિ રેલીમાં રાંધા પંચાયતના ગ્રામજનોએ પૂર્ણ સહયોગ આપ્‍યો હતો અને બાળ વિવાહના આ દુષણને જડમૂળથી મીટાવવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

Related posts

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

શિવ કથાના માધ્‍યમથી મહિલાઓને પહેલી વખત ભગવાન શિવના પ્રિય સ્‍થળ સ્‍મશાન ભૂમિ ખાતે કથા સાંભળવાનો મોકો મળ્‍યો છે : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

Leave a Comment