Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

  • કોંગ્રેસના સિમ્‍બોલ પંજાની હોળી તથા વિવિધ સૂત્રચારો કરી વિરોધ નોંધાવ્‍યો

  • વલસાડ યુવા મોરચા પ્રમુખ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી બુધવારે એક સભાને સંબોધવા પંજાબના ફિરોજપુર જિલ્લાના હુસેનિવાલા ખાતે જઈ રહ્યા હતા. આ દરમ્‍યાન રસ્‍તામાં આવતા પ્‍યારેઆના ગામ પાસે વડાપ્રધાનના કાફલાને ફલાયઓવર પર 200થી વધુ ખેડૂતો ધરણા કરી રહ્યા હોય વડાપ્રધાનના કાફલાને 15 થી 20 મીટીંગ રોકાવું પડ્‍યું હતું.
ભાજપે સમગ્ર ઘટનાનો દોષ કોંગ્રેસ પર ઢોળી કોંગ્રેસનો ખૂની ઈરાદો હોવાનો આક્ષેપ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ અનેક પ્રદર્શનો ભાજપ દ્વારા થઈ રહ્યા છે. પારડી ખાતે પણ ભાજપ શહેર યુવા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પારડી ઓવરબ્રિજ નીચે મોટી સંખ્‍યામાં કાર્યકરો ભેગા થઈ કોંગ્રેસ વિરુદ્ધ અનેક સુત્રોચારો કરી વિવિધ બેનરો અને કેન્‍ડલસળગાવી કોંગ્રેસના સિમ્‍બોલના બેનરોની હોળી કરી વિરોધ પ્રદર્શન કરી બનેલ ઘટનાને વખોડી કાઢી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી સ્‍નેહીલ દેસાઈ, જિલ્લા મહામંત્રી શ્રી મયક પટેલ, પ્રદેશ મંત્રી ભાવિકાબેન, જિલ્લા મંત્રી શ્રી અંકિતભાઈ , શ્રી પ્રિયક પરમાર, પારડી તાલુકા પ્રમુખ શ્રી અભી ભંડારી, શ્રી જીગ્નેશ પટેલ, પારડી શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી જૈશિંગ ભરવાડ, પારડી શહેર ભાજપ મહામંત્રી શ્રી કેતન પ્રજાપતિ, શ્રી પ્રણવ દેસાઈ, ઉપપ્રમુખ વનિતાબેન, પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી હસુભાઈ રાઠોડ, શ્રી રાજનભાઈ ભટ્ટ, શ્રી દેવેનભાઈ શાહ ઉપરાંત મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા

Related posts

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

Leave a Comment