December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

  • કોંગ્રેસના સિમ્‍બોલ પંજાની હોળી તથા વિવિધ સૂત્રચારો કરી વિરોધ નોંધાવ્‍યો

  • વલસાડ યુવા મોરચા પ્રમુખ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી બુધવારે એક સભાને સંબોધવા પંજાબના ફિરોજપુર જિલ્લાના હુસેનિવાલા ખાતે જઈ રહ્યા હતા. આ દરમ્‍યાન રસ્‍તામાં આવતા પ્‍યારેઆના ગામ પાસે વડાપ્રધાનના કાફલાને ફલાયઓવર પર 200થી વધુ ખેડૂતો ધરણા કરી રહ્યા હોય વડાપ્રધાનના કાફલાને 15 થી 20 મીટીંગ રોકાવું પડ્‍યું હતું.
ભાજપે સમગ્ર ઘટનાનો દોષ કોંગ્રેસ પર ઢોળી કોંગ્રેસનો ખૂની ઈરાદો હોવાનો આક્ષેપ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ અનેક પ્રદર્શનો ભાજપ દ્વારા થઈ રહ્યા છે. પારડી ખાતે પણ ભાજપ શહેર યુવા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પારડી ઓવરબ્રિજ નીચે મોટી સંખ્‍યામાં કાર્યકરો ભેગા થઈ કોંગ્રેસ વિરુદ્ધ અનેક સુત્રોચારો કરી વિવિધ બેનરો અને કેન્‍ડલસળગાવી કોંગ્રેસના સિમ્‍બોલના બેનરોની હોળી કરી વિરોધ પ્રદર્શન કરી બનેલ ઘટનાને વખોડી કાઢી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી સ્‍નેહીલ દેસાઈ, જિલ્લા મહામંત્રી શ્રી મયક પટેલ, પ્રદેશ મંત્રી ભાવિકાબેન, જિલ્લા મંત્રી શ્રી અંકિતભાઈ , શ્રી પ્રિયક પરમાર, પારડી તાલુકા પ્રમુખ શ્રી અભી ભંડારી, શ્રી જીગ્નેશ પટેલ, પારડી શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી જૈશિંગ ભરવાડ, પારડી શહેર ભાજપ મહામંત્રી શ્રી કેતન પ્રજાપતિ, શ્રી પ્રણવ દેસાઈ, ઉપપ્રમુખ વનિતાબેન, પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી હસુભાઈ રાઠોડ, શ્રી રાજનભાઈ ભટ્ટ, શ્રી દેવેનભાઈ શાહ ઉપરાંત મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા

Related posts

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment