Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ફડવેલના ગામતળ સ્‍થિત મુખ્‍ય પ્રાથમિક શાળામાંઓરડાના બાંધકામમાં હલકી કક્ષાની રેતી સહિતનો માલા સામાનનો ઉપયોગ કરી ડિઝાઈન મુજબ બીમ કોલમમાં સળિયાનો ઉપયોગ ન કરી તકલાદી કામ કરાતું હોવાની ફરિયાદમાં સ્‍થાનિક જિલ્લા પંચાયત સભ્‍યએ સ્‍થળ મુલાકાત કરી કોન્‍ટ્રાકટરને ફટકાર લગાવતા તે અંગેના અખબારી અહેવાલ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે સ્‍થાનિક જિલ્લા પંચાયત સભ્‍ય એસ.કે.પટેલ, તાલુકા સભ્‍ય મહેશભાઈ સરપંચ પતિ હરીશભાઈ ટીપીઈઓ વિજયભાઈ નાયકા સાથે વિઝીટ કરી બાંધકામની ગુણવતા બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ તેમ રોકડું પરખાવી કામની ગુણવત્તા સુધારવા તાકીદ કરી હતી.
આ દરમ્‍યાન આજે ઈજારદાર દ્વારા ખરાબ થયેલી સિમેન્‍ટનો જથ્‍થો ઉપાડી લેવાયો હતો. સાથે સ્‍ટોકમાં રહેલ રેતીનો ઉપયોગ કોન્‍ક્રીટમાં ન કરવાની મૌખિક બાહેંધરી આપી હતી.
તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાતા ઓરડાના બાંધકામોમાં ઘણા ગામોમાંથી બાંધકામની ગુણવતા અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. થોડા દિવસ પૂર્વે નોગામાં ગામે પણ ગુણવતાવીહીન રેતી હોવાથી સ્‍થાનિકોએ કડક વલણ અપનાવતા ઈજારદારે રાતોરાત રેતીનો જથ્‍થો બદલીને પછી સ્‍લેબ ભર્યો હતો.તકલાદી બાંધકામ કરાતા નિર્માણના ટૂંકા સમયમાં જ ઓરડાઓ ખખડધજ થઈ બિન ઉપયોગી બનતા હોય છે.

ગુણવત્તા અંગે કોઈપણ બાંધછોડ કરાશે નહિ

ટીપીઈઓ વિજયભાઈના જણાવ્‍યાનુસાર ફડવેલ ગામે આજે પ્રમુખશ્રીએ સ્‍થાનિક સભ્‍યો સાથે ઓરડાના બાંધકામનું નિરીક્ષણ કરી ગુણવત્તા અંગે કોઈપણ બાંધછોડ કરાશે નહિ. અને નબળી ગુણવત્તા વાળું મટિરિયલ્‍સ ન ઉપયોગી કરવાની સૂચના આપી હતી. અને અમે પણ આવા પ્રશ્નો બાબતે આચાર્યને તાલુકામાં જાણ કરવા જણાવ્‍યું હતું. જેથી તાલુકા કક્ષાએ નિરાકરણ આવી શકે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment