October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

સેલવાસ ન.પા.એ બહુમાળીના ખુલ્લા મેદાનમાં દિવાળીનો સામાન વેચવા માટે લાઈટ તથા અન્‍ય સુવિધાઓ સાથે જગ્‍યાની કરેલી ફાળવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના બજારોમાં દિવાળીના તહેવાર નિમિતે વરસાદી પાણીના નિકાલની ગટર ઉપર પાથરણાં પાથરી વિવિધ ચીજવસ્‍તુઓનું વેચાણ કરનારા વિક્રેતાઓને ઉઠી જવા જણાવાયું હતું. પાલિકા તંત્ર દ્વારા બે દિવસથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છતાં પણ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ ઉપર બેસી ચીજવસ્‍તુઓનું વેચાણ કરી રહ્યા હતા. સૂચનાનું પાલન નહીં કરાતા આજે પોલીસ ટીમના સહયોગથી સેલવાસ ન.પા.ના કર્મચારીઓએ વેચવામાં આવી રહેલો સરસામાન જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફટાકડાની દુકાનો માટે અને દિવાળીનો સામાન વેચવા સંદર્ભે કલેક્‍ટરશ્રીની અધ્‍યક્ષતામાં અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્‍થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ તાકીદ કરવામાં આવી હતી કે, ફટાકડાના સ્‍ટોલ કે દિવાળીને લગતો સામાન ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર નહીં વેચવા તાકીદ કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા દિવાળી તહેવાર દરમ્‍યાન ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાનમાં રાખી બહુમાળીના ખુલ્લા મેદાનમાંદિવાળીનો સામાન વેચવા માટે જગ્‍યા ફાળવવામાં આવી છે. જ્‍યાં લાઈટની સુવિધા સાથે અન્‍ય સુવિધાઓની પણ ઉભી કરવામાં આવી છે. છતાં પણ દિવાળીનો સામાન વેચનારાઓ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર જ સામાન વેચવા બેસી ગયા હતા, જેથી પાલિકા દ્વારા આવા સામાન વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને સાથે સમજાવવામાં પણ આવ્‍યા હતા કે જે કોઈએ પણ દિવાળીનો સામાન વેચવો હોય તો બહુમાળીના મેદાનમાં જઈને ત્‍યાં સ્‍ટોલ લગાવી શકે છે.

Related posts

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

Leave a Comment