September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

સેલવાસ ન.પા.એ બહુમાળીના ખુલ્લા મેદાનમાં દિવાળીનો સામાન વેચવા માટે લાઈટ તથા અન્‍ય સુવિધાઓ સાથે જગ્‍યાની કરેલી ફાળવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના બજારોમાં દિવાળીના તહેવાર નિમિતે વરસાદી પાણીના નિકાલની ગટર ઉપર પાથરણાં પાથરી વિવિધ ચીજવસ્‍તુઓનું વેચાણ કરનારા વિક્રેતાઓને ઉઠી જવા જણાવાયું હતું. પાલિકા તંત્ર દ્વારા બે દિવસથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છતાં પણ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ ઉપર બેસી ચીજવસ્‍તુઓનું વેચાણ કરી રહ્યા હતા. સૂચનાનું પાલન નહીં કરાતા આજે પોલીસ ટીમના સહયોગથી સેલવાસ ન.પા.ના કર્મચારીઓએ વેચવામાં આવી રહેલો સરસામાન જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફટાકડાની દુકાનો માટે અને દિવાળીનો સામાન વેચવા સંદર્ભે કલેક્‍ટરશ્રીની અધ્‍યક્ષતામાં અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્‍થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ તાકીદ કરવામાં આવી હતી કે, ફટાકડાના સ્‍ટોલ કે દિવાળીને લગતો સામાન ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર નહીં વેચવા તાકીદ કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા દિવાળી તહેવાર દરમ્‍યાન ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાનમાં રાખી બહુમાળીના ખુલ્લા મેદાનમાંદિવાળીનો સામાન વેચવા માટે જગ્‍યા ફાળવવામાં આવી છે. જ્‍યાં લાઈટની સુવિધા સાથે અન્‍ય સુવિધાઓની પણ ઉભી કરવામાં આવી છે. છતાં પણ દિવાળીનો સામાન વેચનારાઓ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર જ સામાન વેચવા બેસી ગયા હતા, જેથી પાલિકા દ્વારા આવા સામાન વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને સાથે સમજાવવામાં પણ આવ્‍યા હતા કે જે કોઈએ પણ દિવાળીનો સામાન વેચવો હોય તો બહુમાળીના મેદાનમાં જઈને ત્‍યાં સ્‍ટોલ લગાવી શકે છે.

Related posts

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment