ભજન, આરતી, પૂજા સથે મહાપ્રસાદનો ભાવિકોએ ભક્તિ ભાવપૂર્વક ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: સિંધી સમાજના સેંકડો પરિવારો વાપી-વલસાડમાં વસવાટ કરે છે. સિંધીઓના ભગવાન ગણાતા પૂજ્ય શ્રી ગુરૂદેવ નાનકની આજે 554મી જન્મ જયંતિ હોવાથી વલસાડ શ્રી સિંધી પંચાયત દ્વારા ગુરુનાનક જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સિંધીઓ ધાર્મિક અને સહિષ્ણુ સ્વભાવની વેપારી પ્રજા છે. પૂજ્ય શ્રી ગુરુનાનક દેવ તેમના આરાધ્ય દેવતા છે. આજે સોમવારે નાનક દેવની 554મી જન્મજયંતિ હોવાતી વલસાડ-વાપીમાં સિંધી પરિવારો દ્વારા મંદિરમાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભજનો, આરતી, પૂજન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો. વાપી ગુંજનમાં ગુરુનાનક જન્મ જયંતિની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી.