Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

સીટબેલ્‍ટ નહીં બાંધવા, મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારીનહીં કરવા, હેલમેટ નહીં પહેરવા તથા કારના કાચ ઉપર બ્‍લ્‍યુ ફિલ્‍મ નહીં લગાવવા સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કાળા કાચ લગાવેલ કાર, મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારી અને હેલમેટ નહીં પહેરેલ હોય, સીટબેલ્‍ટ નહીં બાંધેલ હોય તથા વગર નંબર પ્‍લેટ વાળા વાહનોના ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે તપાસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની લાપરવાહીના કારણે દાનહમાં માર્ગ અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે. કાળા કાચવાળા વાહનોમાં બે નંબરના અનૈતિક કાર્યોને અંજામ આપવામાં આવતા હોવાનું પણ અવલોકન થઈ રહ્યું છે અને મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારી, સીટ બેલ્‍ટ નહીં બાંધનારા તથા હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકો દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વરા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમોનુંઉલ્લંઘન કરનારાઓ સામે દાનહ ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વેહીકલ એક્‍ટની વિવિધ કલમો મુજબ દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

સામરવરણી-મસાટના ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યો દ્વારા દાનહના રખોલી દમણગંગા પુલ પરથી વાણિજ્‍યક અને હળવા/મધ્‍યમ પ્રકારના વાહનોને પસાર કરવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

Leave a Comment