July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

  • આંટિયાવાડ પંચાયત ઘર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભારત સરકારના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડો. વિપુલ અગ્રવાલની રહેલી ઉપસ્‍થિતિ

  • દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશચંદ્ર મીણાએ ભારત સરકારની વિવિધ યોજનાઓની આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આંટિયાવાડ પંચાયત ઘર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભારત સરકારના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગ્રવાલ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી સુરેશચંદ્ર મીણા, દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપાધ્‍યક્ષ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, આંટિયાવાડ વિભાગનાજિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, આંટિયાવાડ ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, આંટિયાવાડ પંચાયતના વોર્ડ સભ્‍યો તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા સહિત અનેક સભ્‍યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકો તથા સ્‍વયં સહાયતા સમૂહની બહેનોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. આંટિયાવાડ પંચાયત ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનામાં સારા કાર્યો હેતુ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. આંટિયાવાડ પંચાયત વિસ્‍તારના બેસ્‍ટ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ અને નિબંધ તથા ચિત્રકળા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ આંટિયાવાડ પંચાયતના વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટકઅને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.

Related posts

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં નોટિફાઈડ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું : 50 જેટલા દબાણો દૂર કરાયા

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah

Leave a Comment