January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

જૈવિક ખેતીને પ્રોત્‍સાહન આપવા કચીગામ ખાતેના ફાર્મ હાઉસના કૃષિ અધિકારીઓને આપેલા નિર્દેશઃ દાનહમાં વિવિધ વિકાસકામોની યોગ્‍ય ગુણવત્તા જાળવવા અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરો-અધિકારીઓને આપેલી સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારેદાનહમાં વિવિધ વિકાસ કાર્યો તથા આજે રવિવારે દમણના કચીગામ ખાતેના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપસ્‍થિત કૃષિ અધિકારીઓને જૈવિક ખેતીને પ્રોત્‍સાહન આપવા માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનો નિર્દેશ આપ્‍યો હતો. દાનહ અને કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીના સલાહકારો શ્રી અમિત સિંગલા, શ્રી ડી.એ. સત્‍યા, દાનહ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા સહિત વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે તેમની દાનહ મુલાકાત દરમિયાન સેલવાસના ટોકરખાડા, અને ઝંડાચોક ખાતેની શાળા તેમજ અન્‍ય નિર્માણાધીન વિકાસકામોનું ઝીણવટતાથી નિરીક્ષણ કર્યું હતું. જ્‍યારે આજે રવિવારે નાની દમણના કચીગામ ખાતેના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વહીવટી અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી નિર્દેશો આપ્‍યા હતા. સાથે તેમણે પ્રશાસનિક અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને વિકાસની કામગીરી ગુણવતાયુક્‍ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના પણ આપી હતી.

Related posts

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment