(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વાપી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘પોદાર વોલેન્ટિયર પ્રોગ્રામ’ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે જરૂરિયાતમંદોને ‘અનાજ-વિતરણ’ની મહત્ત્વપૂર્ણ કામગીરી કરાવાઈ હતી. તા.12-01-2024ને શુક્રવારનાં રોજ વિદ્યાર્થીઓને વાપી સ્થિત બલીઠાનાં ગરીબ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રહેતા કુટુંબો જેઓ ગરીબી રેખા હેઠળ જીવન વિતાવે છે તેમને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘અનાજ વિતરણ’નું કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ એ હતો કે, આગામી બે દિવસોમાં મકરસંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે જે દરમ્યાન હર એકનાં ઘરે અનાજ રહે, કોઈ ભુખ્યુ ન રહે અને સર્વત્ર ખુશહાલી છવાઈ એ બાબતને ધ્યાનમાં રાખી ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્ય શ્રી અનુપમ ઉપાધ્યાયનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો.