Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા તેમજ ક્‍વોરી વ્‍યવસાય સાથે સંકળાયેલ રાજેશભાઈ મોહનભાઈ પટેલને તેમની પુત્રી એકતાનાં લગ્ન હતા. જેમાં વર પક્ષ દ્વારા કન્‍યાને ચઢાવવાના અંદાજિત 23 તોલા જેટલા દાગીના ભરેલ બેગ કોઈ યુવક ઉઠાવી જતા ભીલાડ પોલીસ મથકમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાપીનાં ચલામાં રહેતા રામચંદ્ર પટેલનાં પુત્ર ચિરાગના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા રાજેશભાઈ મોહનભાઈ પટેલની પુત્રી એકતા સાથે લગ્ન ગોઠવ્‍યા હતાં. 10મી ડિસેમ્‍બરે આ લગ્ન હતા. રાત્રિના નવ વાગ્‍યા બાદ જાન લઈને વરપક્ષ મંડપમાં પહોંચ્‍યા હતા. કન્‍યાપક્ષ દ્વારા જાનનું ભવ્‍ય સ્‍વાગત કરી જાનૈયાઓને આવકાર્યા હતા. જેમાં લગ્ન કરાવી રહેલા મહારાજ દ્વારા કન્‍યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્‍યા ઉપર મળી નહતી. રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારના સભ્‍યોએ લગ્ન મંડપ અને આજુબાજુના વિસ્‍તારમાં કન્‍યાના સોનાના ઘરેણાં ભરેલી બેગની શોધખોળ કરી હતી. પરંતુ બેગ ન મળતાં કંઈ લગ્ન મંડપમાંથી સોનાના ઘરેણાં ભરેલી બેગની ચોરી થઈ હોવાનું ધ્‍યાને આવતા ઉદ્યોગપતિનાં ઘરે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સૂટ બૂટમાં આવેલ અજાણ્‍યો ઈસમ જાનૈયા અને રાજેશભાઇના પરિવારના સભ્‍યોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને રફુચક્કર થતો દેખાયો હતો.
દાગીના ભરેલ બેગમાં કન્‍યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા જેનું અંદાજિત વજન 23 તોલાનાં સોનાના ઘરેણાં હતા. જેની કિંમત રૂા. 7.89 લાખના ઘરેણાંની ચોરી થઇ હતી. રાજેશભાઇ પટેલે બનાવ અંગે ભીલાડ પોલીસને જાણ કરતા ભીલાડ પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ભિલાડ પોલીસે એલસીબી, એસઓજીની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

અત્‍યંત દયનીય બનેલી સેલવાસ-ખાનવેલ રોડની હાલત: વાહનચાલકો, રાહદારીઓ અને સ્‍થાનિક રહેવાસીઓને પડી રહેલી ભારે તકલીફ

vartmanpravah

Leave a Comment