(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત, વાપી સ્વામિનારાયણના કપિલદાસ સ્વામીજી, હવેલીના પૂ. ગોવિંદરાજ મહારાજ અને પુનાટ આશ્રમના સંતશ્રી અખંડાનંદજી સાથે 22/01/24ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના અભિષેક પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. ખજાનચી શ્રી જીનેશભાઈ નાહરજી, શ્રી તેજસિંહ ભદોરીયાજી, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ પાયકજી, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યવાહ તમામ સંતોને અયોધ્યાની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યુ હતું. ભગવાન રામજીના અપાર આશીર્વાદ બધા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.