December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

વિકાસ કાર્યોની બ્રેક લાગી ગઈ છે : કેટલાક કામોની કરોડોની ગ્રાન્‍ટ લોસ થવાની વકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આજકાલ વલસાડ જિલ્લામાં ગામેગામ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાઓ ચાલી રહી છે. આ યાત્રાઓમાં સરાકરી અધિકારીઓ-નેતાઓ વ્‍યસ્‍ત બની ગયા છે તેથી જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની બ્રેક લાગી છે.
આગામી લોકસભાની ચૂંટણી ઉપલક્ષીને હાલમાં ગુજરાતભરમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાઓ ચાલી રહી છે. જેનું આયોજન કરવા માટે સરકારી અધિકારીઓ જોડાયેલા છે. પરિણામે તા.પં. કે જિ.પં.ના અધિકારીઓ વિકસિત ભારત યાત્રામાં વ્‍યસ્‍ત છે. તેથી અરજદારો કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. સાહેબ હાજર નથી ના જવાબ મળી રહ્યા છે તેવી વેદના સ્‍થાનિક સરપંચો પણ ઠાલવી રહ્યા છે. આયાત્રાની વિપરિત અસર એ પણ જોવા મળી રહી છે કે જ્‍યાં ત્‍યાં ચાલતા વિકાસ કાર્યોની પણ બ્રેક લાગી છે અથવા ટલ્લે ચઢી રહ્યા છે. વિકસિત ભારતનો રથ ચાલી રહ્યો છે પણ વિકાસ કાર્યોનો રથ અટકી ગયો છે. આવી સ્‍થિતિ વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં ઉભી થઈ છે. ભૂતકાળમાં તત્‍કાલિન મુખ્‍યમંત્રી ગરીબ કલ્‍યાણ જેવા મેળાઓનું આયોજન કરતા હતા પરંતુ તેનો સીધો લાભ આમ નાગરિકોને મળતો હતો. પરંતુ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા માત્ર પ્રચાર-પ્રસાર જ છે. નાગરિકોને કોઈ લાભ નથી. બીજુ વિકાસ કાર્યો જે તે અવધીમાં પુરા નહી થાય તો ગ્રાન્‍ટ પણ લોસ થશે.

Related posts

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment