Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને જીવામૃત અને
ઘનજીવામૃત બનાવવા તાલીમ અપાશે

તાલીમ બાદ ખેડૂતોને રાહતદરે જીવામૃત-ઘનજીવામૃતનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પસાર થાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષતામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લાના જે ખેડૂતો પાસે દેશી ગાય નથી તેવા ખેડૂતોને ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. ખેડૂતોને સમયસર જીવામૃત અને ઘનજીવામૃત મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકોને જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તે અંગે તાલીમ આપવામાં આવશે. આગામી સમયમાં તમામ ગૌ શાળાના સંચાલકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ એમના દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ નવતર પહેલને ગૌશાળાના સંચાલકો તરફથી સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા ખેતવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાયબ પશુપાલન નિયામક જે. વી. વસાવા, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર વિમલ પટેલ તેમજ સ્ટાફ અને જિલ્લાની ૧૫ ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકો હાજર રહ્યાં હતાં.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ દમણ અને દાનહના વિકાસને જોઈ પ્રભાવિત ‘‘પ્રફુલ પટેલ નામ હી કાફી હૈ, નામ કા મતલબ કામઃ પ્રદેશના થયેલા અદ્‌ભૂત વિકાસ ઉપર ઉપ રાષ્‍ટ્રપતિની મહોર

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

Leave a Comment