Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને જીવામૃત અને
ઘનજીવામૃત બનાવવા તાલીમ અપાશે

તાલીમ બાદ ખેડૂતોને રાહતદરે જીવામૃત-ઘનજીવામૃતનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પસાર થાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષતામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લાના જે ખેડૂતો પાસે દેશી ગાય નથી તેવા ખેડૂતોને ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. ખેડૂતોને સમયસર જીવામૃત અને ઘનજીવામૃત મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકોને જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તે અંગે તાલીમ આપવામાં આવશે. આગામી સમયમાં તમામ ગૌ શાળાના સંચાલકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ એમના દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ નવતર પહેલને ગૌશાળાના સંચાલકો તરફથી સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા ખેતવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાયબ પશુપાલન નિયામક જે. વી. વસાવા, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર વિમલ પટેલ તેમજ સ્ટાફ અને જિલ્લાની ૧૫ ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકો હાજર રહ્યાં હતાં.

Related posts

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment