March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરાતા જમીનદારો સામે આવેલી તવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં સાડા સાત હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને તેમની જમીનને ‘લેન્‍ડ ઈન એક્‍સેસ ઓફ સિલિંગ લિમિટ એક્‍ટ’માં સામેલ કરી પ્રારંભિક ધોરણે સાત જેટલા ખેડૂતોને હિયરીંગ માટે નોટિસ ફટકારવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિકરણનો લાભ લેવા માટે કેટલાક રાજકારણી લેન્‍ડમાફિયાઓએ ગરીબ આદિવાસીઓની જમીન પાણીના ભાવમાં પડાવી લીધી હતી. પરંતુ હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરતા પ્રથમ તબક્કામાં 7 જેટલા ખેડૂતોને સિલિંગ લિમિટ કરતા વધુ જમીન હોવાથી હિયરીંગ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
દાદરા નગર હવેલીમાં સિલિંગ લિમિટહેઠળ આવેલા ખેડૂતોમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શ્રીમતી કલાબેન ડેલકર પાસે હાલમાં 16.8968 હેક્‍ટર જમીન છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 9.3968 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલ પાસે 9.0469 હેક્‍ટર જમીન આવેલી છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 1.546 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે.
સિલિંગ એક્‍ટ હેઠળ હિયરીંગ માટે બોલાવાયેલા અન્‍ય ખેડૂતોમાં (1)રીટાબેન નરેશભાઈ ડેલકર પાસે 9.1329 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 1.6329 જમીન (2)શ્રી કલ્‍પેશકુમાર તખતસિંહ પરમાર પાસે 9.7399 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 2.2399 હેક્‍ટર (3)શ્રી દાઉદ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર અને (4)શ્રી ઈસ્‍માઈલ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે અને સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર જમીન હોવાનું જણાવી હિયરીંગ માટે બોલાવાયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને સિલિંગ એક્‍ટના અમલ માટે બતાવેલી તત્‍પરતાથી ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લેનારા રાજકારણી અને લેન્‍ડ માફિયાઓમાં ફફડાટ પેસી ગયો છે.

Related posts

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

vartmanpravah

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

Leave a Comment