April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરાતા જમીનદારો સામે આવેલી તવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં સાડા સાત હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને તેમની જમીનને ‘લેન્‍ડ ઈન એક્‍સેસ ઓફ સિલિંગ લિમિટ એક્‍ટ’માં સામેલ કરી પ્રારંભિક ધોરણે સાત જેટલા ખેડૂતોને હિયરીંગ માટે નોટિસ ફટકારવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિકરણનો લાભ લેવા માટે કેટલાક રાજકારણી લેન્‍ડમાફિયાઓએ ગરીબ આદિવાસીઓની જમીન પાણીના ભાવમાં પડાવી લીધી હતી. પરંતુ હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરતા પ્રથમ તબક્કામાં 7 જેટલા ખેડૂતોને સિલિંગ લિમિટ કરતા વધુ જમીન હોવાથી હિયરીંગ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
દાદરા નગર હવેલીમાં સિલિંગ લિમિટહેઠળ આવેલા ખેડૂતોમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શ્રીમતી કલાબેન ડેલકર પાસે હાલમાં 16.8968 હેક્‍ટર જમીન છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 9.3968 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલ પાસે 9.0469 હેક્‍ટર જમીન આવેલી છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 1.546 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે.
સિલિંગ એક્‍ટ હેઠળ હિયરીંગ માટે બોલાવાયેલા અન્‍ય ખેડૂતોમાં (1)રીટાબેન નરેશભાઈ ડેલકર પાસે 9.1329 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 1.6329 જમીન (2)શ્રી કલ્‍પેશકુમાર તખતસિંહ પરમાર પાસે 9.7399 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 2.2399 હેક્‍ટર (3)શ્રી દાઉદ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર અને (4)શ્રી ઈસ્‍માઈલ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે અને સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર જમીન હોવાનું જણાવી હિયરીંગ માટે બોલાવાયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને સિલિંગ એક્‍ટના અમલ માટે બતાવેલી તત્‍પરતાથી ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લેનારા રાજકારણી અને લેન્‍ડ માફિયાઓમાં ફફડાટ પેસી ગયો છે.

Related posts

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

vartmanpravah

Leave a Comment