October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરાતા જમીનદારો સામે આવેલી તવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં સાડા સાત હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને તેમની જમીનને ‘લેન્‍ડ ઈન એક્‍સેસ ઓફ સિલિંગ લિમિટ એક્‍ટ’માં સામેલ કરી પ્રારંભિક ધોરણે સાત જેટલા ખેડૂતોને હિયરીંગ માટે નોટિસ ફટકારવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિકરણનો લાભ લેવા માટે કેટલાક રાજકારણી લેન્‍ડમાફિયાઓએ ગરીબ આદિવાસીઓની જમીન પાણીના ભાવમાં પડાવી લીધી હતી. પરંતુ હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરતા પ્રથમ તબક્કામાં 7 જેટલા ખેડૂતોને સિલિંગ લિમિટ કરતા વધુ જમીન હોવાથી હિયરીંગ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
દાદરા નગર હવેલીમાં સિલિંગ લિમિટહેઠળ આવેલા ખેડૂતોમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શ્રીમતી કલાબેન ડેલકર પાસે હાલમાં 16.8968 હેક્‍ટર જમીન છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 9.3968 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલ પાસે 9.0469 હેક્‍ટર જમીન આવેલી છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 1.546 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે.
સિલિંગ એક્‍ટ હેઠળ હિયરીંગ માટે બોલાવાયેલા અન્‍ય ખેડૂતોમાં (1)રીટાબેન નરેશભાઈ ડેલકર પાસે 9.1329 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 1.6329 જમીન (2)શ્રી કલ્‍પેશકુમાર તખતસિંહ પરમાર પાસે 9.7399 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 2.2399 હેક્‍ટર (3)શ્રી દાઉદ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર અને (4)શ્રી ઈસ્‍માઈલ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે અને સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર જમીન હોવાનું જણાવી હિયરીંગ માટે બોલાવાયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને સિલિંગ એક્‍ટના અમલ માટે બતાવેલી તત્‍પરતાથી ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લેનારા રાજકારણી અને લેન્‍ડ માફિયાઓમાં ફફડાટ પેસી ગયો છે.

Related posts

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ છીપવાડ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા મુખ્‍યમંત્રી અને નાણામંત્રીને લેખિત રજૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment