Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરાતા જમીનદારો સામે આવેલી તવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં સાડા સાત હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને તેમની જમીનને ‘લેન્‍ડ ઈન એક્‍સેસ ઓફ સિલિંગ લિમિટ એક્‍ટ’માં સામેલ કરી પ્રારંભિક ધોરણે સાત જેટલા ખેડૂતોને હિયરીંગ માટે નોટિસ ફટકારવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિકરણનો લાભ લેવા માટે કેટલાક રાજકારણી લેન્‍ડમાફિયાઓએ ગરીબ આદિવાસીઓની જમીન પાણીના ભાવમાં પડાવી લીધી હતી. પરંતુ હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરતા પ્રથમ તબક્કામાં 7 જેટલા ખેડૂતોને સિલિંગ લિમિટ કરતા વધુ જમીન હોવાથી હિયરીંગ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
દાદરા નગર હવેલીમાં સિલિંગ લિમિટહેઠળ આવેલા ખેડૂતોમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શ્રીમતી કલાબેન ડેલકર પાસે હાલમાં 16.8968 હેક્‍ટર જમીન છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 9.3968 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલ પાસે 9.0469 હેક્‍ટર જમીન આવેલી છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 1.546 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે.
સિલિંગ એક્‍ટ હેઠળ હિયરીંગ માટે બોલાવાયેલા અન્‍ય ખેડૂતોમાં (1)રીટાબેન નરેશભાઈ ડેલકર પાસે 9.1329 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 1.6329 જમીન (2)શ્રી કલ્‍પેશકુમાર તખતસિંહ પરમાર પાસે 9.7399 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 2.2399 હેક્‍ટર (3)શ્રી દાઉદ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર અને (4)શ્રી ઈસ્‍માઈલ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે અને સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર જમીન હોવાનું જણાવી હિયરીંગ માટે બોલાવાયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને સિલિંગ એક્‍ટના અમલ માટે બતાવેલી તત્‍પરતાથી ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લેનારા રાજકારણી અને લેન્‍ડ માફિયાઓમાં ફફડાટ પેસી ગયો છે.

Related posts

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીનું રી-ટ્‍વીટઃ સરાહનીય પ્રયાસ, શ્રેષ્‍ઠ પરિણામ..! પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં લક્ષદ્વીપ ખાતે ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ ‘ન્‍યુટ્રી ગાર્ડન’ની કરેલી સરાહના

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment