April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

ત્રણ જેટલી મોટરો કબજે લઈ પાણીના પાંચ જેટલા કનેક્‍શન કાપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: તાલુકા મથક ચીખલીમાં પાણીની પાઈપલાઈનમાં મોટર નાખી ગેરકાયદેસર રીતે કેટલાક લોકો દ્વારા પાણી ખેંચવામાં આવતા ઘણા લોકોના ઘર સુધી પૂરતાદબાણથી પાણી ન મળતું હોવાની ફરિયાદ મળતા સરપંચ વિરલભાઈ પટેલ દ્વારા જાહેર નોટિસ અને સ્‍પીકર વાળી રીક્ષા ગામમાં ફેરવી આગામી દિવસોમાં એક ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમાં પાઈપ લાઈનમાં મોટર નાખી પાણી ચોરાતું હોવાનું માલુમ પડશે તો મોટર કબજે લઈ કનેક્‍શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
આ દરમિયાન સરપંચ વિરલભાઈના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા અને ગ્રામ પંચાયતના 20 થી 25 જેટલા સ્‍ટાફ સાથે સઘન તપાસ હાથ ધરાતા ચીખલીના વાણીયાવાડ, માછીવાડ અને નારાયણ નગરમાંથી પાઈપલાઈનમાં નાખવામાં આવેલ ત્રણ જેટલી મોટરો કબ્‍જે કરી હતી અને પાણીના પાંચ જેટલા કનેક્‍શન પણ કાપી નાખવામાં આવતા પાણી ચોરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
ચીખલીમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીની ચોરી કરનારાઓ સામે ગ્રામ પંચાયતના કડક અભિગમને લોકો બિરદાવી રહ્યા છે. ચીખલીમાં સરપંચ પદે વિરલભાઈ ચાર્જ સાંભળ્‍યા બાદ વહીવટમાં અનેક ફેરફારો કરાતા તેનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે.

સરપંચ વિરલ પટેલના જણાવ્‍યાનુસાર ચીખલીમાં આજે ત્રણ મોટરો કબ્‍જે કરી પાંચ જેટલા કનેક્‍શન કાપી નાખ્‍યા છે. હાલે ફરી કનેક્‍શન ચાલુ કરવાના નથી, પાછળથી નક્કી કરીદંડ ભરાયા બાદ આ કનેક્‍શનનો ચાલુ કરાશે અને મોટર શોધવાની ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે.

Related posts

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

Leave a Comment