Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના નરોલીમાં એક ચાલીમાં રહેતી પરપ્રાંતિય પરિણીતા 11 ડિસેમ્‍બરના રોજ સવારે ભોજન બનાવતી વખતે ચક્કર આવતાં પડી ગઈ હતી. જેમને તેમના પતિ દ્વારા તાત્‍કાલિક સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડી હતી. જ્‍યાં તેમની તબિયત વધુ બગડતાં સેલવાસ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યા હતાં જ્‍યાં તેમનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર પાનો કાર્તિક (ઉ.વ.23) હાલ રહેવાસી નરોલી અને મૂળ રહેવાસી- પશ્ચિમ બંગાળ. જેઓ ગત તા.11મી ડિસેમ્‍બરના રોજ સવારે ભોજન બનાવી રહ્યા હતા. તે સમયે તેમને અચાનક ચક્કર આવતાં પડી ગઈ હતી, પડીગયેલી પત્‍નીને તેમના પતિએ ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાનું શરીર એકદમ જકડાઈ જવા પામ્‍યું હતું. જેથી તાત્‍કાલિક સારવાર માટે નરોલીના પી.એચ.સી.માં લઈ જવામાં આવ્‍યા હતા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં ત્‍યાંથી વધુ સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવવામાં આવ્‍યા હતા. જ્‍યાં પાનો કાર્તિકનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. પરિણીતાનું મોત ક્‍યા કારણોસર થયું એની જાણકારી ડોક્‍ટરો આપી શક્‍યા નથી. હવે પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) રિપોર્ટ આવ્‍યા બાદ જ ખબર પડશે.

Related posts

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment