October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન માનીપાડા ગામ ખાતે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાના નેતૃત્‍વમાં આદિવાસી જનજાગૃતિ સાંસ્‍કળતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે ભગવાન બિરસા મુંડા અને ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને પુષ્‍પહાર અર્પણ કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે શ્રી અમોલભાઈ મેશ્રામે મહાપુરુષોના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા અને સમાજમાં બાળકોને કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ બાબતે ચિંતન કરવા જણાવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાએ આદિવાસીઓના હક અધિકાર, પ્રદેશમાં ચાલી રહેલ સમસ્‍યા અને બેરોજગારી શિક્ષણસહિતના અનેક મુદ્દાઓ અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પાલઘર અને દાનહના આદિવાસી સિંગર શ્રી પ્રભાત નામકુડીયા, યુ ટયુબ કલાકાર શ્રી રવિ સાતપુતે સહિતની ટીમ પણ ઉપસ્‍થિત રહી હતી અને ગ્રામજનોને મનોરંજન પૂરું પાડયું હતું.
કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રી યશવંત જનાથીયાએ કર્યું હતું. જ્‍યારે આભારવિધિ શ્રી પ્રભાત નામકુડીયાએ આટોપી હતી.

Related posts

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment