Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન માનીપાડા ગામ ખાતે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાના નેતૃત્‍વમાં આદિવાસી જનજાગૃતિ સાંસ્‍કળતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે ભગવાન બિરસા મુંડા અને ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને પુષ્‍પહાર અર્પણ કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે શ્રી અમોલભાઈ મેશ્રામે મહાપુરુષોના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા અને સમાજમાં બાળકોને કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ બાબતે ચિંતન કરવા જણાવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાએ આદિવાસીઓના હક અધિકાર, પ્રદેશમાં ચાલી રહેલ સમસ્‍યા અને બેરોજગારી શિક્ષણસહિતના અનેક મુદ્દાઓ અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પાલઘર અને દાનહના આદિવાસી સિંગર શ્રી પ્રભાત નામકુડીયા, યુ ટયુબ કલાકાર શ્રી રવિ સાતપુતે સહિતની ટીમ પણ ઉપસ્‍થિત રહી હતી અને ગ્રામજનોને મનોરંજન પૂરું પાડયું હતું.
કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રી યશવંત જનાથીયાએ કર્યું હતું. જ્‍યારે આભારવિધિ શ્રી પ્રભાત નામકુડીયાએ આટોપી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment