February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન માનીપાડા ગામ ખાતે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાના નેતૃત્‍વમાં આદિવાસી જનજાગૃતિ સાંસ્‍કળતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે ભગવાન બિરસા મુંડા અને ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને પુષ્‍પહાર અર્પણ કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે શ્રી અમોલભાઈ મેશ્રામે મહાપુરુષોના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા અને સમાજમાં બાળકોને કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ બાબતે ચિંતન કરવા જણાવ્‍યું હતું. કાર્યક્રમના મુખ્‍ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાએ આદિવાસીઓના હક અધિકાર, પ્રદેશમાં ચાલી રહેલ સમસ્‍યા અને બેરોજગારી શિક્ષણસહિતના અનેક મુદ્દાઓ અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પાલઘર અને દાનહના આદિવાસી સિંગર શ્રી પ્રભાત નામકુડીયા, યુ ટયુબ કલાકાર શ્રી રવિ સાતપુતે સહિતની ટીમ પણ ઉપસ્‍થિત રહી હતી અને ગ્રામજનોને મનોરંજન પૂરું પાડયું હતું.
કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રી યશવંત જનાથીયાએ કર્યું હતું. જ્‍યારે આભારવિધિ શ્રી પ્રભાત નામકુડીયાએ આટોપી હતી.

Related posts

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

Leave a Comment