April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

વિકાસમાં મહત્‍વની ભૂમિકા ભજવતા સરપંચોને સત્તા વિહોણા બનાવી થઈ રહેલા મિથ્‍યા અને ભ્રષ્ટાચારી વિકાસ સામે સરપંચોએ ઠાલવેલી વેદના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આજરોજ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના અધ્‍યક્ષતા હેઠળ અને તાલુકા વિકાસ અધિકારીની હાજરી વચ્‍ચે વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં અધિકારીઓની હાજરી વચ્‍ચે ઉમરગામ તાલુકાના સરપંચોનો અભિપ્રાય જાણવાના કરેલા પ્રયત્‍નોમાં સરપંચોએ ભરી વેદના સાથે રજૂઆત કરવી પડી હતી. ઉમરગામ તાલુકામાં સત્તા વિહોણા બનેલા સરપંચોની હાલત હુકમના ગુલામ જેવી બનેલી છે. વિકાસના કામોની પ્રક્રિયાથી દૂર રાખી માત્ર કોન્‍ટ્રાક્‍ટરોની મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. સરપંચોની સત્તા પરપૂરેપૂરો કબજો ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારીએ જમાવેલો હોવાનું ચિત્ર સામે આવ્‍યું હતું. જેમ પોર્ટલ પરથી કરવામાં આવતી ખરીદી વાસ્‍તવિક કિંમત કરતા અનેક ઘણી હોવા છતાં લાચાર સરપંચો વિરોધ કરી શકતા નથી તેવી જ રીતે વિકાસના કામોની વહીવટી મંજૂરી, એસ્‍ટીમેન્‍ટ વગેરેથી દૂર રાખવામાં આવે છે તેમજ વિકાસના કામોની વિગતોની ટપાલ સરપંચ સુધી પહોંચતી નથી. સરપંચોને વિશ્વાસમાં લેવા વગર કોન્‍ટ્રાક્‍ટરોને અધૂરા કામનું પણ બિલનું ચૂકવણું કરી દેવામાં આવે છે. જેથી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કરવામાં આવતા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો પણ રજૂઆત કરી શકતા નથી જેના કારણે સરપંચો પ્રજાનો રોષનો ભોગ બની રહ્યા છે. ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.આર. પઢિયારની ઉપસ્‍થિતિ વચ્‍ચે ઉમરગામ તાલુકાના સરપંચોએ ભ્રષ્ટાચારી વહીવટ ઉજાગાર કરતી રજૂઆતથી છેલ્લા બે વર્ષથી ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામ્‍યો છે.
વિશેષમાં ઉમરગામ તાલુકાની મોટાભાગની પંચાયતોમાં વિકાસના કામ કરતી એજન્‍સી અને અધિકારીઓની સાંઠગાંઠથી ઘણા કામો અધૂરા પડેલા છે જેની પણ રજૂઆત થવા પામી હતી. જેમાં આંગણવાડીની દયનિય સ્‍થિતિનું વર્ણન સરપંચોએ કરીને વહેલી તકે અધૂરીઆંગણવાડીના કામો પૂરા કરવાની રજૂઆતો કરી હતી. સરકારી આવાસની મંજૂરીની યાદી સરપંચોને આપવામાં આવતી નથી. મનરેગા યોજનામાં ગ્રાન્‍ટના અભાવે છેલ્લા બે વર્ષથી ઉમરગામ તાલુકાના કામો થયા નથી જે બાબતનો પણ સરપંચોએ બળાપો ઠાલવી ધારાસભ્‍ય રમણભાઈ પાટકરની સરપંચોને દબાણમાં રાખવાની નીતિને ઉજાગર કરી હતી. ઉમરગામ તાલુકાના સરપંચોએ આજરોજ ઠાલવેલી આક્રમક વેદનાથી ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના માથે પસીનો આવી જવા પામ્‍યો હતો.

Related posts

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

દમણની મુલાકાતે શનિવારે આવી રહેલા દેશના ગૃહમંત્રી: 4થી મે ના રોજ સાંજે 4:00 વાગ્‍યે દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના સમર્થનમાં યોજાશે જાહેર સભા

vartmanpravah

Leave a Comment