February 5, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

નવા બિલ મુજબ નોટરી એડવોકેટ 15 વર્ષ થઈ ગયા હોય તેઓ પ્રેક્‍ટિસ નહી કરી શકે તેનો વકીલોનો વિરોધ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
ભારત સરકાર દ્વારા આગામી સમયે નવિન નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલ લાવી રહી છે. આ બિલની કેટલીક જોગવાઈ માટે વલસાડ જિલ્લાના વકીલોએ વિરોધ દર્શાવવા માટે આજે સોમવારે શહેરમાં રેલી યોજીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં નોટરી તરીકે પ્રેક્‍ટિસ કરી રહેલા વકીલોએ સરકારના નવા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલ અંગે વિરોધ દર્શાવ્‍યો છે. કારણકે આ બિલમાં એવી એક સુચિત જોગવાઈ કરવામાં આવી રહી છે કે જે વકીલોને નોટરી પ્રેક્‍ટિસના 15 વર્ષ પુરા કર્યા હોય તેઓ આગળ પ્રેક્‍ટિસ કરી શકશે નહીં. જો આ બિલનો અમલ થાય તો ગુજરાત અને દેશમાં હજારો વકીલો બેકાર બની જાય. આ માટે સરકારે તા.15-12-2021 સુધી અભિપ્રાય મંગાવ્‍યા છે તે મુજબ વકીલોએ ચાર્જ નવા બિલના વિરોધમાં અભિપ્રાય આપતુ આવેદનપત્ર કલેક્‍ટર વલસાડને સુપરત કર્યું હતું. આગળની રણનિતી ગુજરાત નોટરી એસોસિએશન જણાવશે તે મુજબના કાર્યક્રમો આપવામાં આવશે તેવુંઅગ્રણી વકીલોએ જણાવ્‍યું હતું.

Related posts

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

Leave a Comment